અમેરિકી કંપનીએ દાવો કર્યો છે કે તેઓએ પહેલી એવી દવા બનાવી છે જે 24 કલાકમાં જ કોરોના વાયરસ મહામારીને ફેલાવતા રોકી શકે છે. આ દવાને તેઓએ મોલનુપીરવીર નામ આપ્યું છે.
અમેરિકી કંપનીનો દાવો
બનાવી એેવી દવા કે જે 24 કલાકમાં કોરોના ફેલાવતો અટકાવશે
દવાને તેઓએ મોલનુપીરવીર નામ અપાયું
દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ચાલી કહ્યો છે. તેને રોકવા માટે દેશ વેક્સીનની શોધમાં લાગી ચૂક્યો છે. અનેક દેશમાં બીજા અને ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેઓએ એક દવા તૈયાર કરીને એડવાન્સ ટ્રાયલના બીજા અને ત્રીજા સ્ટેજમાં છે. આ દવાની મદદથી 24 કલાકમાં સાર્સ અને કોરોના ફેલાવવાથી અટકાવી શકાય છે.
24 કલાકમાં કોરોના ફેલાતો અટકાવશે આ દવા
ખાસ વાત એ છે કે જ્યાં કંપનીઓ કોરોનાને રોકવા વેક્સીનની શોધ કરી રહી છે ત્યાં આ કંપનીએ ખાવાની એન્ટી વાયરલ દવાની શોધનો દાવો કર્યો છે. દાવામાં કહેવાયું છે તે આ દવા 24 કલાકમાં કોરોના ફેલાતો અટકાવી શકે છે. શોધકર્તાઓએ રિસર્ચમાં જાણ્યું છે કે એન્ટી વાયરલ ડ્રગ મોલનુપીરવીર કોરોનાના વિરોધમાં મોટી કામયાબી મેળવી શકે છે.
ઈન્ફ્લુએન્ઝા માટે શોધાઈ હતી આ દવા
આ મેડિસિનનું અત્યારે બીજા અને ત્રીજા સ્ટેજનું ટ્રાયલ ચાલી રહ્યું છે. મોલનુપીરવીર એક પ્રયોગાત્મક એન્ટીવાયરસ મેડિસીન છે અને તેનો ઓરલ યૂઝ છે. આ દવા મૂળ રીતે ઈન્ફ્લુએન્ઝાની સારવાર માટે શોધાઈ હતી. આ દવાની શોધ જોર્જિયા યુનિ.ની ટીમે કરી હતી.
કોરોના રોકનારી પહેલી દવા બનશે
ડોક્ટર રિચર્ડ પ્લેમ્પરનું કહેવું છે કે સાર્સ - કોવ-2 ફેલાવવાને ઝડપથી રોકવા ઓરલ રૂપથી ઉપયોગમાં લેવાનારી પહેલી દવા હશે. કોરોના વાયરસની વિરુદ્ધમાં મોલનુપીરવીરને ફરીથી તૈયાર કરાઈ અને કોરોનાના પ્રસારમાં દવાના પ્રભાવનું પરીક્ષણ કરવા માટે ફોર્રેટ મોડલનો ઉપયોગ કર્યો.