કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં હજુ પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સમયે દેશ દુનિયાના અલગ અલગ ભાગમાં નવા રિસર્ચ રિપોર્ટ્સ સામે આવ્યા છે. તેમાં કોરોના વાયરસના નવા લક્ષણ પણ જણાવવામાં આવ્યા છે. એક એવો રિપોર્ટ કનાડાથી આવ્યો છે જેમાં કહેવાયું છે કે કોરોના વાયરસના નવા લક્ષણમાં આંખમાં ફેરફાર જોવા મળે છે. જો તમને જોવામાં થોડી પણ મુશ્કેલી આવી રહી છે તો તે કોરોના વાયરસનું નવું લક્ષણ હોઈ શકે છે તો જાણો શું કહે છે શોધ.
કોરોના વાયરસનું વધુ એક નવું લક્ષણ
શોધમાં જણાવાયું છે કે કોરોના આંખ પર પણ કરે છે અસર
જોવામાં થોડી પણ તકલીફ લાગે તો હોઈ શકે છે કોરોનાની અસર
કોરોના મહામારીથી આખી દુનિયા પરેશાન છે ત્યારે તેનો હજુ સુધી કોઈ ચોક્કસ ઈલાજ મળ્યો નથી. ભારતમાં સંક્રમિત દર્દીને સાજા કરવાનો દર અન્ય દેશો કરતાં સારો રહ્યો છે પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કનાડામાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કોરોનાના નવા લક્ષણોમાં શરદી, તાવ અને શ્વાસની તકલીફ સહિત હવે આંખોની સમસ્યા પણ લક્ષણ ગણાઈ રહ્યું છે. આંખથી જોવામાં થતી તકલીફ એ કોરોના વાયરસ તરફ ઈશારો કરી રહ્યું છે. જાણો શું કહે છે રિસર્ચ.
આંખથી જોવામાં થઈ રહી છે મુશ્કેલી તો હોઈ શકે છે કોરોનાનું સંક્રમણ
કોરોના વાયરસનું સંક્રમણ હવે શ્વસનતંત્ર સિવાય શરીરના અન્ય ભાગ પર પણ અસર દેખાડી રહ્યું છે. કેનેડિયન જનરલ ઓપ્થલમોલોજીના એક રિપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલાં એક મહિલા પોતાની આંખમાં સોજા અને બળતરાની ફરિયાદ લઈને સારવાર કરાવવા પહોંચી. અલ્બર્ટા સ્થિત રૉયલ એલેક્ઝેન્ડા હોસ્પિટલમાં આ મહિલા કન્જક્ટિવાઈટિસ અને બ્રીધિંગ પ્રોબ્લેમથી ઝઝૂમી રહી હતી. થોડા સમય બાદ તબિયત સુધરી અને કોરોના રિપોર્ટમાં તે પોઝિટિવ આવી.
સંશોધનકર્તાને મળી નવી જાણકારી
યુનિવર્સિટી ઓફ અલ્બર્ટામાં સહાયક પ્રોફેસર કોર્લોસ સોલાર્ટે જણાવ્યું કે મુખ્ય રૂપથી આ બીમારી શ્વાસ લેવામાં તકલીફ નહીં પણ આંખો સાથે જોડાયેલી હતી. તેની શક્ય સારવાર બાદ પણ સુધાર જોવા મળ્યો નહીં. માટે આ અધ્યયનને ધ્યાનમાં રાખીને લોકોને આંખની સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો સાવધાની રાખવી. આ વાતને ધ્યાનમાં રાખીને લોકોએ આઈ સ્પેશ્યાલિસ્ટ પાસે જવું અને બીમારીના લક્ષણોને સમજવા જરૂરી છે જેથી કોરોનાથી બચવામાં રાહત મળે.
અત્યારે ડોક્ટરોની એક વિશેષ ટીમ તેની પર સંશોધન કરી રહી છે કે કોરોના વાયરસનું સંક્રમણ આંખોને કઈ રીતે નુકસાન કરે છે. તેનાથી એ સમજવામાં સરળતા રહેશે કે સંક્રમણના નવા લક્ષણથી મહામારીના ફેલાવવાનો ખતરો કેટલો વધશે કે પછી તેનાથી અન્ય કઈ મુસીબતોનો સામનો કરવો પડશે. સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરો અને સંક્રમણથી બચવા માટે દરેક સેફ્ટી ટિપ્સને પણ ફોલો કરો તે જરૂરી છે.