1 જુલાઈથી બેંકિંગને લગતા ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. બેંકો સેવિંગ ખાતાથી લઈને એટીએમને લગતા ઘણા નિયમોમાં ફેરફાર લાવવાની છે. તે પણ આ નિયમો અનુસાર તમારી તૈયારી પૂર્ણ કરવી જોઈએ.
બેન્કો બચત ખાતામાં વાર્ષિક વ્યાજ દરમાં પણ ઘટાડો કરવા જઈ રહી છે
લોકડાઉન અને કોરોનાને કારણે લોકોને રોકડ ઉપાડના નિયમોમાં આપવામાં આવેલી રાહત 1 જુલાઈથી મળશે નહીં. એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે સરકારે તમામ ટ્રાન્ઝેક્શન ચાર્જ પાછા ખેંચી લીધા હતા.
એટીએમ ટ્રાન્ઝેક્શન ફી ત્રણ મહિના માટે દૂર કરીને સરકારે કોરોના સંકટ વચ્ચે લોકોને મોટી રાહત આપી હતી. આ છૂટ ફક્ત ત્રણ મહિના માટે આપવામાં આવી હતી. જે 30 જૂન 2020 ના રોજ સમાપ્ત થવાની છે.
કોરોનાની વચ્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે જાહેરાત કરી હતી કે કોઈ પણ બેંકમાં બચત ખાતામાં ફરજિયાત લઘુત્તમ બેલેન્સ (મિનિમમ બેલેન્સ)રાખવામાંથી રાહત આપી હતી. આ હુકમ એપ્રિલથી જૂન સુધીનો હતો.
આવી સ્થિતિમાં ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ ન હોય તો પણ લોકોને કોઈ પણ પ્રકારનો દંડ ભરવો પડતો નહોતો. પરંતુ હવે 1 જુલાઈથી તમારે તમારા ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડશે. આ સિવાય કેટલીક બેન્કો બચત ખાતામાં વાર્ષિક વ્યાજ દરમાં પણ ઘટાડો કરવા જઈ રહી છે. આ ફેરફાર 1 જુલાઈથી લાગુ થશે.