કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે તો કરોડોની સંખ્યામાં સંક્રમિત થયાં છે. ત્યારે મેડિકલ જર્નલ Lancetએ કોરોનાને લઈને કરેલ દાવાથી ખળભળાટ મચ્યો છે.
કોરોના વાયરસ ફેલાવાને લઈને મોટા સમાચાર
સંશોધનમાં થયો ચોંકાવરનારો દાવો
કોરોના હવાથી ફેલાતો હોવાનું અભ્યાસમાં આવ્યું સામે
Lancetના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઘાતક વાયરસ મુખ્યરૂપે હવાથી ફેલાય છે તેનો સચોટ પૂરાવો છે. અમેરિકા, બ્રિટન અને કેનેડા જેવા દેશોના 6 એક્સપર્ટ્સે દાવો કરતા જણાવ્યું હતું કે, આ જ કારણ છે કે અનેક પ્રકારની સાવધાનીઓ અને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ છતાં વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે.
મોટા ડ્રોપલેટ્સથી કોરોના ફેલાયાનું પુરાવો નહીં
એક્સપર્ટ્સની એક ટીમમાં CIRES (Cooperative Institute for Research in Environmental Sciences)ના કેમિસ્ટ જોસ લૂઇસ જિમેનેજનું પણ નામ છે. એક્સપર્ટ્સે કહ્યું કે, તેમને કોરોના વાયરસ હવાથી ફેલાય છે તેના સચોટ પુરાવાઓ પ્રાપ્ત થયાં છે અને આ વાતને અવગણી શકાય તેવી નથી.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ટીમે પણ આ મુદ્દે સંશોધનની સમીક્ષા કરી અને હવામાં વાયરસના ફેલાવાના દાવાને હાઇલાઇટ કર્યો છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે, આ વાતનું કોઇ પ્રમાણ નથી કે, ડ્રોપલેટ્સથી જ કોરોનાનો પ્રસાર થાય છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવાથી જ વાયરસ ઝડપથી ફેલાય છે.
ઇનડોરના મુકાબલે આઉટડોરમાં પ્રસાર વધુ
સ્ટડીના એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે WHO અને અન્ય સંસ્થાઓએ તેને ગંભીરતાથી લેવાની અને વાયરસના ફેલાવાને ઘટાડવા પગલાં લેવાની જરૂર છે. નિષ્ણાતોએ તેમની સૂચિમાં સ્કગિટ કોરનો પ્રકોપ મૂક્યો છે. અહીં માત્ર એક કોરોના સંક્રમિત વ્યક્તિ દ્વારા કુલ 53 લોકોને ચેપ લાગ્યો હતો. સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ કિસ્સામાં એવું બન્યું નથી કે બધા લોકો એક જ સ્થળે ગયા હોય અથવા નજીકના સંપર્કમાં આવ્યા હોય, પરંતુ હજી પણ કોરોના ફેલાય છે.આ સ્ટડીમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કોરોનાનો વ્યાપ ઇનડોર કરતાં આઉટડોરમાં વધુ જોવા મળ્યો છે.
સમગ્ર દુનિયામાં હવાથી જ ફેલાયો કોરોના
Lancetના સ્ટડીમાં વધુ એમપણ કહેવામાં આવ્યું છે કે, 40 ટકા લોકોમાં તેવા લોકોથી કોરોના ફેલાયો છે જેમને ઉધરસ કે શરદી છે. સમગ્ર દુનિયામાં કોરોના ફેલાવાનું આ જ મુખ્ય કારણ છે કારણ કે, આ મુખ્યરૂપે હવાથી જ ફેલાય છે.