એક્સપર્ટનું કહેવું છે કે કોરોના એવા રોગીમાં લોહીના ગટ્ઠા બનાવે છે જેમને ટાઈપ ટૂ ડાયાબિટિસ મિલેટસ છે, જો કે તેના કારણને જાણી શકાયું નથી.
ફક્ત ફેફસાની બીમારી નથી કોરોના વાયરસ
લોહીના ગટ્ઠાની સમસ્યા સર્જે છે કોરોના વાયરસ
ટાઈપ ટૂ ડાયાબિટિસ મિલેટસ છે તેમને લોહીના ગટ્ઠાની સમસ્યા રહે છે
એક્સપર્ટનું કહેવું છે કે કોરોના એવા રોગીમાં લોહીના ગટ્ઠા બનાવે છે જેમને ટાઈપ ટૂ ડાયાબિટિસ મિલેટસ છે, જો કે તેના કારણને જાણી શકાયું નથી.
ફક્ત ફેફસાની બીમારી નથી
કોરોના વાયરસ ફક્ત ફેફસાની બીમારી નથી. પહેલા ધારણા હતી પરંતુ હવે તેમાં લોહીના ગટ્ઠા જામી જવાના કારણે તેને તરત સારવારની જરૂર રહે છે. જો સમય સર ઈલાજ કરાય તો શરીરના કેટલાક અંગો પર તેની અસરને બચાવી શકાય છે. આ વાત એક્સપર્ટ્સ કહે છે.
14-28 ટકા રોગીમા જામે છે લોહીના ગટ્ઠા
વૈશ્વિક સ્તરે કરાયેલા શોધમાં કહેવાયું છે કે હોસ્પિટલમાં એડમિટ કોરોનાના 14-28 ટકા રોગીમાં લોહીના ગટ્ઠા જામવાનું સામે આવી રહ્યું છે. જેને ડીપ વેન થ્રોમ્બોસિસના નામથી ઓળખવામાં આવે છે. તો 2-5 ટકા રોગીમાં આર્ટેરિયલ થ્રોમ્બોસિસ હોવાનું સામે આવ્યું છે.
લોહીની કોશિકાઓ સાથે જોડાયું છે સંક્રમણ
વિશેષજ્ઞોનું કહેવું છે કે સંક્રમણ ફેફસાની સાથે રક્ત કોશિકાઓ સાથે જોડાયેલું છે. દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલના વાહિકા અને અંતઃ વાહિકા સર્જન ડો. અંબરિશે કહ્યું કે સરેરાશ દર અઠવાડિયે આ પ્રકારના 5-6 કેસ જોઈ રહ્યા છે. આ અઠવાડિયે રોજ 1 કેસ જોવા મળ્યો છે. અન્ય એક દાવામાં કહેવાયું છે કે લોહીના ગટ્ઠા એવા રોગીમાં જામે છે જેમને ટાઈપ ટૂ ડાયાબિટિસ મિલેટ્સ છે જો કે તેના નિષ્ચિત કારણને જાણી શકાયું નથી.
નસમાં જામી જાય છે લોહીના ગટ્ઠા
ડીવીટી એક ગંભીર સ્થિતિ છે જેમાં શરીરની અંદરની નસમાં લોહીના ગટ્ઠા જામી જાય છે. આર્ટેરિયલ થ્રોમ્બોસિસ ધમનીમાં લોહીના જામવા સાથે જોડાયેલું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કોરોનાના લોહીના ગટ્ઠા બનવા સંબંધિત સ્થિતિમાં ધ્યાન આકર્ષિત કરાયું હતું તેમાં કોરોના પીડિત એક રોગીના અંગની ધમનીમાં લોહીના ગટ્ઠા જામવાનો ફોટો પણ પોસ્ટ કરાયો હતો.