એક લેટેસ્ટ સ્ટડીમાં ખુલાસો થયો છે કે કોરોના મહામારી આખા વર્ષમાં ઘણી વાર ચરમસીમાએ પહોંચશે ત્યાર બાદ ખતમ થઈ જશે.
કોરોના મહામારી પર આવ્યો લેટેસ્ટ સ્ટડી
જર્મની અને ચાઈનીઝ એકેડમીનું મહત્વનું સંશોધન
2021 દરમિયાન કોરોના મહામારી કેર વર્તાવશે
પછી ખતમ થઈ જશે
2021 દરમિયાન કોરોના મહામારી કેર વર્તાવશે પછી ખતમ થઈ જશે
હેઈડેલબર્ગ ઈન્સ્ટીટ્યુટ ઓફ ગ્લોબલ હેલ્થ જર્મની અને ચાઈનીઝ એકેડમી ઓફ મેડિકલ સાયન્સ દ્વારા કરવામાં આવેલી શોધમાં જણાવાયું કે આ રીતે આખા વર્ષ દરમિયાન કોરોનાનો કેર ચાલુ રહેશે અને આખી દુનિયાએ ઝઝુમવું પડશે.
શિયાળામાં વધારે કેસો આવશે
શિયાળામાં વધારે કેસો આવશે અને ઉનાળાની સિઝનમાં ઓછા કેસો આવશે. ભૂમધ્ય રેખાના દેશોમાં કોરોના વાયરસના ઓછા કેસો નોંધાયા છે પરંતુ જે દેશ ધરતીની ઉત્તરી અને દક્ષિણી હિસ્સામાં છે તેમને કોરોના સામે વધારે ઝઝુમવું પડશે.
117 દેશોના આંકડાને આધારે શોધ કરી
વૈજ્ઞાનિકોએ 117 દેશોના આંકડાને આધારે આ શોધ પ્રસિદ્ધ કરી છે. આ શોધ દરમિયાન એવું જાણવાનો પ્રયાસ થયો કે કોઈ દેશની અક્ષાંસ રેખાની ત્યાંના કોરોના વાયરસના કેસોની સંખ્યા પર કેવી અસર પડે છે. જોકે સંશોધકોએ એવું પણ જણાવ્યું કે એવો અર્થ એવો થયો કે ગરમીની સિઝનમાં કોરોના મહામારી ખતમ નહીં થાય.
દુનિયામાં કોરોના કેસોની સંખ્યા 15.42 કરોડ
આ લેટેસ્ટ સ્ટડી એવે સમયે થઈ છે કે જ્યારે આજે દુનિયાભરમાં કોરોના મહામારીએ કોહરામ મચાવ્યો છે. આ દરમિયાન કોરોના કેસોની કુલ સંખ્યા વધીને 15.24 કરોડને પાર પહોંચી છે જ્યારે 31.9 લાખ કરતા પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યાં છે.