કોરોના ફરીથી પણ થઈ શકે છે આ વાત સાચી છે માટે નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે કહ્યું કે દરેક વ્યક્તિએ પ્રીકોશન્સ ચાલુ રાખવા જરૂરી છે. દેશની 80 ટકા આબાદીને હજુ પણ કોરોનાનો ખતરો છે. હાલમાં 5 વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. પણ આપણે સાવધાની સાથે ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.
ફરીથી પણ થઈ શકે છે કોરોનાઃ વી કે પોલ
સાવધાની સાથે ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી
દેશની 80 ટકા આબાદીને હજુ પણ કોરોનાનો ખતરો
ડોક્ટર પોલે કહ્યું કે હજુ દિલ્હીમાં કોરોનાનો પીક ચાલી રહ્યો છે. વ્યક્તિગત રીતે લોકોએ સમજવાની જરૂર છે. આપણે ટ્રેકિંગ અને આઈસોલેશનને માનવાની જરૂર છે. સૌથી વધુ જરૂરી છે કે એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં લગભગ 15-20 કોન્ટેક્ટને આઈસોલેટ કરાય છે કેમકે તેમના અજાણ રહેવાથી પણ સંક્રમણ ફેલાય છે.
2 દિવસ પહેલાંથી સંપર્કમાં આવેલાની ઓળખ અને આઈસોલેશન જરૂરી
ડોક્ટર પોલે કહ્યું કે જો કોઈ વ્યક્તિ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં 2 દિવસ પહેલાંથી જેટલા વ્યક્તિ આવ્યા છે તેમના ટેસ્ટ અને આઈસોલેશન જરૂરી છે. આ લોકોને 7 દિવસ સુધી ક્વોરન્ટાઈન થવું પડશે જેથી તેમના પરિવારના લોકોને સંક્રમણ ન થાય.
14 દિવસ ક્વોરન્ટાઈન જરૂરી
ડોક્ટર પોલે કહ્યું કે કોરોના રિપોર્ટ જો પોઝિટિવ છે તો તેના અનુસાર મેનેજમેન્ટ થશે. તે નેગેટિવ આવશે તો પહેલાની જેમ રૂટિન જીવન જીવી શકાશે. જો તપાસ કરાવવા ઈચ્છતા નથી તો 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવું પડે છે. જો તમે આ નિયમનું પાલન નહીં કરો તો તમારી સામે કડક પગલાં પણ લેવાશે.
ભારતમાં હજુ કોરોનાની 5 વેક્સીનના ટ્રાયલ ચાલુ છે
ડોક્ટર પોલે કહ્યું કે કોરોના વેક્સીનને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે બેઠક થઈ છે. પીએમ મોદીની તરફથી કેટલીક ગાઈડલાઈન આપવામાં આવી છે અને તેની પર કામ શરૂ કરાયું છે. ભારતમાં હાલમાં 5 વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે, તેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટનું ટ્રાયલ અંતિમ સ્ટેજમાં છે. કેટલાક દિવસોમાં જ તેનું પરીક્ષણ પૂર્ણ થશે તો આ સાથે ભારતની બાયોટેકની વેક્સીન પણ તેના ત્રીજા ચરણમાં પહોંચી છે.