ચામાચિડીયુ, સાપ અથવા પેંગોલિન (કીડી ખાનારા જીવ) ન જાણે કોનામાંથી કોરોના વાયરસથી બહાર આવ્યો તે હજી સામે આવ્યું નથી. કોરોના વાયરસ છેવટે કયા પ્રાણીમાંથી નીકળીને મનુષ્યમાં પ્રવેશ્યો છે તે જાણવા સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો હેરાન-પરેશાન છે.
કોરોનાનો સમગ્ર વિશ્વમાં કહેર
સંશોધકોએ કોવિડ-19ની થિયરી રજૂ કરી
10-15 વર્ષ દરમિયાન પેંગાલિન દ્વારા માણસમાં ફેલાયો
કોરોના વાયરસ- કોવિડ -19 ને કારણે 37 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. હવે એક નવી થિયરી એવી આવી રહી છે કે કોરોના વાયરસ આટલો જીવલેણ બનતા પહેલા આશરે 10-15 વર્ષથી મનુષ્યને બીમાર કરી રહ્યો છે. પરંતુ હવે તે જોખમી બનીને જીવલેણ સાબિત થઇ રહ્યો છે.
સંશોધકોએ એક થિયરી રજૂ કરી
કેલિફોર્નિયાની સ્ક્રિપ્સ યુનિવર્સિટી, કોલમ્બિયા યુનિવર્સિટી, એડિનબર્ગ યુનિવર્સિટી, સિડની યુનિવર્સિટી અને તુલેન યુનિવર્સિટીના સંશોધકોએ એક થિયરી રજૂ કરી છે કે કોરોના વાયરસ લગભગ 10-15 વર્ષથી મનુષ્યને બીમાર કરી રહ્યો છે. પરંતુ તેનાથી કોઈ મરી ગયું ન હતું.
કોરોના વાયરસનો સૌથી સામાન્ય વાહક ચામાચિડીયું
ડેઇલી મેઇલના અહેલાવ મુજબ હવે આ વાયરસ એટલો જીવલેણ બની ગયો છે કે હજારો લોકોના મોતનું કારણ બની ગયો છે. આ તમામ યુનિવર્સિટીઓના સંશોધનકારો દાવો કરે છે કે કોરોના વાયરસનો સૌથી સામાન્ય વાહક ચામાચિડીયું છે. તેના કારણે, તે માણસોમાં પ્રવેશ્યો છે.
10-15 વર્ષ દરમિયાન પેંગાલિન દ્વારા માણસમાં ફેલાયો
આ થિયરીમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 10 થી 15 વર્ષ દરમિયાન કોરોના વાયરસ એટલે કે કોવિડ -19 પેંગોલિન દ્વારા માણસોમાં ફેલાયો હશે પરંતુ તેની અસર ઓછી હતી. ધીરે ધીરે, તેણે પોતાને પરિવર્તિત કર્યું અને તેની આસપાસ કાંટાળુ પ્રોટીન વિકસિત કર્યો.
માણસોના ફેફસાના કોષોને નષ્ટ કરી રહ્યો છે કોરોના
હવે કાંટાવાળા પ્રોટીનવાળો આ કોરોના વાયરસ, કોવિડ -19 માણસોના ફેફસામાં હાજર કોષોને નષ્ટ કરી રહ્યા છે અને તે લોકોનો જીવ લઇ રહ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) ના ડિરેક્ટર ડો. ફ્રાન્સિસ કોલિન્સે કહ્યું છે કે તેમણે આંખ ખોલનારી માહિતી આપી છે. આ સંશોધનકારોની ટીમમાં કોલિન્સનો સમાવેશ નથી.
1 કે દોઢ દાયકાથી વર્ચસ્વ જમાવી રહ્યો છે કોરોના
ડો. કોલિન્સે કહ્યું કે શક્ય છે કે કોરોના વાયરસ કોવિડ -19 એક અથવા દોઢ દાયકાથી મનુષ્યને બીમાર કરી રહ્યો છે. પરંતુ તેની અસર ઓછી રહી છે. આ વખતે તેણે પોતાને પરિવર્તન કરીને પોતાને વધુ જોખમી બનાવ્યું છે. જેથી આને કારણે વધુને વધુ માણસો માર્યા ગયા.
2002-03માં સાર્સ રોગ ફેલાયો હતો
આ પહેલા પણ, જ્યારે 2002-2003માં સાર્સ ફેલાયો હતો, શિયાળ જેવા નાના જીવતંત્રના સિવેટ્સ તેના વાયરસ માટે જવાબદાર માનવામાં આવતા હતા. તે પછી હજારો સિવેટ્સ માર્યા ગયા.
સંશોધકોએ જણાવ્યું કે, છેલ્લા 10-15 વર્ષથી કોરોના માનવીને બીમાર કરી રહ્યો છે
આ સંશોધનકારો દાવો કરે છે કે ચીનનો કોરોના વાયરસ છેલ્લા 10-15 વર્ષથી મનુષ્યને બીમાર કરી રહ્યો છે. પરંતુ અસર એટલી નબળી હતી કે કોઈએ તેને ગંભીરતાથી લીધી નથી. હવે જ્યારે તે ખતરનાક બન્યું, ત્યારે દરેક વ્યક્તિ સભાન હતો.
થિયરીમાં લખ્યું છે કે, 10-15 વર્ષ પહેલા કોરોના આટલો ખતરનાક નહોતો
આ સંશોધનકારોનું સંશોધન પત્ર વિશ્વના પ્રખ્યાત નેચર મેગેઝિનમાં પ્રકાશિત થયું છે. આમાં, તેમની થિયરીમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ -19 કોરોના વાયરસ 10-15 વર્ષથી એટલો ખતરનાક ન હતો.
વિશ્વ આખું વાયરસથી થયું પરેશાન
થિયરીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રાણીઓથી માણસોમાં આવીને, પ્રાણીઓ ફરીથી જવું, પછી મનુષ્યમાં પાછા આવતા વાયરસ તેને અત્યંત જોખમી બનાવતા ગયા. જેના કારણે આજે આખું વિશ્વ આ વાયરસથી પરેશાન છે.