દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 2 લાખને પાર કરી ગયો છે. જ્યારે 5500થી વધારે લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણના આ આંકડા રાજ્યોના ડેટાના આધારે છે. દુનિયાના સૌથી વધારે પ્રભાવિત 10 દેશોના લિસ્ટમાં ભારત 7માં સ્થાને છે.
દુનિયાના સૌથી વધારે પ્રભાવિત 10 દેશોના લિસ્ટમાં ભારત 7માં સ્થાને છે
ભારતમાં કોરોના વાયરસના દર્દીઓના સાજા થવાનો દર 48.07 ટકા પર પહોંચી ગયો છે
આ લિસ્ટમાં અમેરિકા 18 લાખથી વધારે કેસ સાથે પહેલા નંબર પર છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 1,05000થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 5 લાખ 26 હજાર કેસના આંકડા સાથે બ્રાઝિલ બીજા સ્થાને છે. અહી અત્યાર સુધીમાં લગભગ 30 હજાર લોકોના મોત થયા છે. ત્રીજા નંબર પર રશિયા છે, અહીં 4 લાખ 14 હજારથી વધારે કોરોના કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4800 લોકોના મોત થયા છે.
બ્રિટેન ચોથા સ્થાને છે. જ્યાં 2 લાખ 77 હજારથી વધારે કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 39 હજારથી વધારે લોકોના મોત થયા છે. ત્યારબાદ સ્પેન અને ઇટાલીનો નંબર આવે છે. સ્પેનમાં અત્યાર સુધીમાં 27 હજાર લોકોના મોત થયા છે જ્યારે 2 લાખ 39 હજારથી વધારે લોકો કોરોના પોઝિટિવ છે. જો ઇટલીની વાત કરીએ તો, અહીં 33 હજાર લોકો માર્યા ગયા છે અને 2 લાખ 33 હજારથી વધારે કોરોના પોઝિટિવ છે.
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓના સાજા થવાનો દર 48.07 ટકા પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી મંગળવારે બતાવાયું કે દેશમાં કોરોના વાયરસની ઝપેટમાં આવેલા દર્દીઓમાંથી 95,527 સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી મોતનો દર દુનિયામાં સૌથી ઓછો છે.