ગત એક અઠવાડિયામાં જે -જે જગ્યાઓ પર ભીડ ભેગી થઈ અને કોવિડ પ્રોટોકોલનું પાલન નથી થયું ત્યાં કેસ વધ્યા છે. તેવામાં ત્રીજી લહેરની આશંકા વધારે મજબૂત થઈ રહી છે.
કોવિડ પ્રોટોકોલનું પાલન નથી થયું ત્યાં કેસ વધ્યા છે
ગત 55 દિવસોમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ બે ગણા થઈ ગયા
વધી રહ્યા છે ડેલ્ટા વેરિએન્ટના સેમ્પલ
કોવિડ પ્રોટોકોલનું પાલન નથી થયું ત્યાં કેસ વધ્યા છે
દેશમાં એક વાર ફરી કોરોનાના મામલામાં વધારો નોંધાયો છે. ગત એક અઠવાડિયામાં જે -જે જગ્યાઓ પર ભીડ ભેગી થઈ અને કોવિડ પ્રોટોકોલનું પાલન નથી થયું ત્યાં કેસ વધ્યા છે. તેવામાં ત્રીજી લહેરની આશંકા વધારે મજબૂત થઈ રહી છે. પૂર્વોત્તર અને કેરળ બાદ હવે પશ્ચિમ બંગાળ, આસામ અને હિમાચલ પ્રદેશમાં સંક્રમણની અસર જોવા મળી રહી છે આવનારા કેટલાક મહિનાની અંદર દેશના 5 રાજ્યો- યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી છે. યૂપીમાં તો રાજનીતિક કાર્યક્રમ પણ શરુ થઈ ગયો છે. જો કે હજું સુધી આની અસર રાજ્યોમાં જોવા નથી મળી. આની પહેલા ભારતીય વૈજ્ઞાનિકોની એક ટીમે ઈન્સાકોગે ચેતવ્યા છે કે વાયરસમાં કોઈ નવું મ્યૂટેશન નથી થયું. પરંતુ જે ડેલ્ટા વેરિએન્ટના ચાલતા બીજી લહેર આવી હતી હતી. તે હજું ક્યાંય ગઈ નથી.
ગત 55 દિવસોમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ બે ગણા થઈ ગયા
જીનોમ સિક્વેન્સિંગના આધાર પર વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે દરેક વ્યક્તિ હવે પહેલાની જેમ ભીડમાં સામેલ છે. ગત 55 દિવસોમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ બે ગણા થઈ ગયા છે અને 11 ગણા વધારે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ જોવા મળી રહ્યા છે.
વધી રહ્યા છે ડેલ્ટા વેરિએન્ટના સેમ્પલ
એક ન્યૂઝ રિપોર્ટ મુજબ ઈન્સાકોગના હાલના રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 30 ઓગસ્ટથી દેશમાં ડેલ્ટા વેરિએન્ટના 15 હજાર સેમ્પલ જોવા મળ્યા છે. પરંતુ 11 ઓક્ટોબર સુધી તેની સંખ્યા વધીને 26, 043 થઈ ગઈ. ત્યારે ડેલ્ટા વન અને કપ્પા વેરિએન્ટના મામલા પણ વધીને 5449 થઈ ચૂક્યા છે. બીજી તરફ ડેલ્ટા વેરિએન્ટની જ એવાઈ સીરીઝના સેમ્પલ 393થી વધીને 4737 સુધી પહોંચ્યા છે.
દેશમાં એક દિવસમાં કોરોનાના 15, 906 નવા મામલા
રિપોર્ટ મુજબ ડેલ્ટા વેરિએન્ટના નવા મ્યૂટેન્ટ એવાઈના 4થી 7મામલામાં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જોવા મળ્યા છે. આ મામલાની ઓછી સંખ્યા હોવા છતાં આના પર નજર ચાલુ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે જ ભારતમાં એક દિવસમાં કોરોનાના 15, 906 નવા મામલા આવવાથી સંક્રમણના કુલ મામલાની સંખ્યા 3,41,75,468 પર પહોંચી ગઈ. જ્યારે 561 વધુ લોકોના જીવ ગયા છે જેથી મરનારાનો આંક 4,54,269 થયો છે.
બંગાળ, આસામ અને હિમાચલમાં કેસ વધ્યા
બીજી તરફ પ. બંગાળમાં 974 નવા મામલા આવ્યા તો 12 લોકોના મોત થયા છે. સાથે આસામમાં 3 દિવસની અંદર 300થી વધારે મામલા આવ્યા. ગત અઠવાડિયે દુર્ગા પૂજા, દશેરા બાદ બંગાળ, આસામ અને હિમાચલમાં કેસ વધ્યા છે.