મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાયરસને પગલે ગુરુવારે મોતનો આંકડો વધીને 4 થયો. પ્રાપ્ત જાણકારી અનુસાર રાજ્યમાં 24 માર્ચએ એક મહિલાનું મોત થયું હતું. ગુરુવારે આવેલી એક રિપોર્ટમાં સામે આવ્યું કે આ મહિલા કોરોના વાયરસથી પોઝિટિવ હતી. આ ઉપરાંત રાજ્યમાં ગુરુવારે કોરોના વાયરસના વધુ 2 નવા મામલાની પુષ્ટી થઇ છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને પગલે ગુરુવારે મોતનો આંકડો વધીને 4 થયો
રાજ્યમાં કોરોના સંક્રમણના બંને નવા કેસ મુંબઇમાં નોંધાયા છે
સ્વાસ્થ્ય અધિકારીએ જાણકારી આપી કે, મૃતક મહિલાના નમૂનાની તપાસ કરાયા બાદ કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઇ છે જેનુ 24 માર્ચે મોત થઇ ગયું હતું. આ મહિલા નવી મુંબઇની રહેવાસી હતી. તેનામાં કોરોના વાયરસ સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હતા, તેથી સાવચેતીના ભાગ રૂપે તેમના નમૂનાને તપાસ માટે મોકલાયા હતા. આ તપાસની રિપોર્ટમાં મહિલાના સંક્રમણ હોવાની પુષ્ટી થઇ હતી.
એક સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણના બંને નવા કેસ મુંબઇમાં નોંધાયા છે. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું તેઓએ કોઇ મુસાફરી કરી હતી. આમ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો વધીને 124 થયો છે. જ્યારે 4 લોકોના મોત થયા છે અને 1 કોરોના વાયરસ પીડિત ઠીક થયો છે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં 13 લોકો કોરોના વાયરસથી પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોના વાયરસને પગલે ગુજરાત, મહારાષ્ટ્ર અને કાશ્મીરમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસ વધીને 673 થઇ ગયા છે.