132 દિવસથી 50 હજારથી ઓછા નવા દૈનિક મામલા સામે આવી રહ્યા છે
શનિવારે કોરોનાના 10 હજાર 929 નવા મામલા
ભારતમાં શનિવારે કોરોનાના 10 હજાર 929 નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3 કરોડ 43 લાખ 44 હજાર 682 થઈ ગઈ. ત્યારે 392 લોકોના મોત થયા બાદ મરનારની સંખ્યા વધીને 4 લાખ 60 હજાર 265 થઈ ગઈ. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી સવારે 8 વાગે જારી કરેલા આંકડા મુજબ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1 લાક 46 હજાર 950 થઈ ગઈ. દેશમાં સતત ગત 29 દિવસથી કોરોનાના દૈનિક મામલા 20 હજારથી ઓછા છે. અને 132 દિવસથી 50 હજારથી ઓછા નવા દૈનિક મામલા સામે આવી રહ્યા છે.
24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 1972નો ઘટાડો
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ગત 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 1972નો ઘટાડો આવ્યો છે અને સારવાર કરાવી રહેલા દર્દીઓની કુલ સંખ્યા 1,46,950 થઈ ગઈ. જે કુલ મામલાના 0.43 ટકા છે. અને આ દર માર્ચ 2020 બાદ સૌથી ઓછો છે. દર્દીના સાજા થાય બાદ રાષ્ટ્રીય દર 98.23 ટકા છે. જે માર્ચ 2020 બાદથી સૌથી વધારે છે.
જાણો ક્યારે કેટલાક કેસ આવ્યા
દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા એક કરોડને પાર , આ વર્ષે 4 મેમાં 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ચાલ્યા ગયા હતા.
કોરોનાની રસી 116. 5 ટકાથી વધારે ડોઝ અપાયા
અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 116. 50 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે હજું પણ 15.54 કરોડથી વધારે (15,54,54,451) ડોઝ લગાવવા માટે ઉપલબ્ધ છે.
મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણ અભિયાનના નવા ચરણમાં કેન્દ્ર સરકાર દેશમાં રસી નિર્માતાઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી રસીના 75 ટકા રાજ્યો- કેન્દ્રશાસિત પ્રદેશોની ખરીદી અને સપ્લાય મફત કરશે. દેશમાં અત્યાર સુધીમાં રસીના 1 અરબ 7 કરોડ 92 લાખ 19 હજાર 546 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાં અત્યાર સુધીમાં 20 લાખ 75 હજાર 942 ડોઝ શુક્રવારે અપાયા છે.