સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા કેસ 42 હજાર 603 આવ્યા છે તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી રિકવર દર્દી 38 હજાર 69 થયા છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 308 દર્દીના મૃત્યુ થયા છે.
ભારતમાં યથાવત કોરોનાનું સંક્રમણ
એક દિવસના નવા કેસ 42 હજાર 603
એક દિવસમાં કોરોનાથી રિકવર દર્દી 38 હજાર 69
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનું જાણે કે નક્કી દેખાઈ રહ્યું છે. દેશમાં ફરીથી કોરોનાના કેસ વધવાની સાથે દેશની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા કેસ 42 હજાર 603 આવ્યા છે તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 38 હજાર 69 રિકવર દર્દી થયા છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 308 દર્દીના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 3 હજાર 646 જોવા મળી રહ્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 3 કરોડ 29 લાખ 87 હજાર 615 પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 3 કરોડ 21 લાખ 30 હજાર 576 થઈ છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 લાખ 40 હજાર 56 થઈ ચૂક્યો છે.
COVID19 | India reports 42,766 new cases in the last 24 hours, active caseload stands at 4,10,048 ; Recovery Rate currently at 97.42% pic.twitter.com/25mkPzJZJP
કેટલા લોકોને મળી છે વેક્સિન
દેશમાં ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 3 હજાર 646 જોવા મળી રહ્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 3 કરોડ 29 લાખ 87 હજાર 615 પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 3 કરોડ 21 લાખ 30 હજાર 576 થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 68,46,69, 521 લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 71,61,760 લોકોને વેક્સિન અપાઈ છે.
કેરળમાં વધી રહ્યું છે સંક્રમણ
કેરળમાં શનિવારે કોરોના વાયરસના સંક્રમણના 29682 નવા કેસ આવ્યા છે. સતત વધારા સાથે કેરળમાં એક દિવસમાં મહામારીથી 142 લોકોના મોત થયા છે. આ સાથે સંક્રમણના કુલ 41,81,137 કેસ સામે આવ્યા છે. મૃતકોની સંખ્યા 21,422 થઈ છે. અત્યાર સુધીમાં કોરોનાથી પીડિત હોવા છતાં 39,09,096 લોકો સાજા થઈ ચૂક્યા છે.
આંધ્રપ્રદેશમાં 24 કલાકમાં 1502 નવા કેસ
24 કલાકમાં અહીં કોરોનાના 1052 નવા કેસ સામે આવ્યા છે. 1525 લોકો સાજા થયા છે અને 16 લોકોના મોત થયા છે. અહીં અત્યારસુધીમાં સંક્રમણના 20,19,702 કેસ આવી ચૂક્યા છે, જેમાંથી 19,90,916 લોકો સારવાર બાદ સાજા થયા છે અને 13,903 દર્દીના મોત થયા છે. હાલમાં કુલ 14,883 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 4310 નવા કેસ આવ્યા સામે
મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસના 4310 નવા કેસ સામે આવ્યા છે અને 64 સંક્રમિતોના મોતના સમાચાર આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા 64,82,117 થઈ છે જ્યારે મૃત્યુઆંક 1,37,707 થયો છે. આજે 2506 દર્દીને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે અને સંક્રમણ મુક્ત થનારાનો આંક 62,88,851 પર પહોંચી ચૂક્યો છે. રાજ્યમાં સંક્રમણની સારવાર કરાવી રહેલા દર્દીની સંખ્યા 52,025ની છે.