સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં 4 લાખ 3 હજાર 840 એક્ટિવ કેસ છે તો 3 કરોડ 7 લાખ 1 હજાર 612 લોકો સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે.
ફરી એકવાર માથું ઉંચકી રહ્યો છે કોરોના
24 કલાકમાં 43509 નવા કેસ નોંધાયા
24 કલાકમાં થયા 640 કોરોના દર્દીના મોત
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી એકવાર ડરાવી રહી છે. રોજ કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. કોરોનાના વધતા કેસની સાથે ત્રીજી લહેરની ચેતવણી સાચી સાહિત થતી જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 43509 નવા કેસ આવ્યા છે તો સાથે જ 640 દર્દીના મોત થઈ ચૂક્યા છે. દેશમાં 4 લાખ 3 હજાર 840 એક્ટિવ કેસ છે તો 3 કરોડ 7 લાખ 1 હજાર 612 લોકો સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે.
India reports 43,509 fresh infections, 38,465 recoveries in the last 24 hours; Active caseload currently at 4,03,840, recovery rate at 97.38%: Ministry of Health and Family Welfare pic.twitter.com/yAKlSwOFaQ
24 કલાકમાં 43,92,697 લોકોએ લગાવી કોરોનાની વેક્સિન
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં કોરોનાના 4 લાખ 3 હજાર 840 એક્ટિવ કેસ છે તો 3 કરોડ 7 લાખ 1 હજાર 612 લોકો સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4 લાખ 22 હજાર 662 લોકોના મોત થઈ ચૂક્યા છે અને સાથે દેશમાં કુલ 45,07,06, 257 લોકો વેક્સિન લગાવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 43,92,697 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
COVID19 | Total samples tested up to 28th July are 46,26,29,773 including 17,28,795 samples tested yesterday pic.twitter.com/A3pMi7HhC9
કેરળની સ્થિતિ છે સૌથી ખરાબ
કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિ આ સમયે કેરળની જોવા મળી રહી છે. દેશમાં આવનારા કોરોના દર્દીની સંખ્યાનો 50 ટકા ભાગ કેરળથી છે. બુધવારે અહીં 22056 નવા કેસ આવ્યા છે અને સાથે જ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 33,27,301 થઈ છે જ્યારે 131 લોકોના મોત થયા છે અને વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા 16457 થઈ છે.
ક્યાં જોવા મળી રહ્યો છે કોરોના સંક્રમણનો વધારે પ્રભાવ
રાજ્યમાં સૌથી વધારે સંક્રમિત લોકો મલપ્પુરમમાં 3931, ત્રિશૂરમાં 3005, કોઝિકોડમાં 2400, એર્નાકુલમમાં 2397, પલક્કડમાં 1649 અને કોલ્લમમાં 1462, અલાપ્પુઝામાં 1461, કન્નૂરમાં 1179, તિરુવનંતપુરમમાં 1101, કોટ્ટાયમમાં 1067 કેસ આવ્યા છે.