દેશમાં 24 કલાકમાં વાયરસના 39, 726 નવા મામલા સામે આવતા કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 15 લાખ 14 હજાર 331 થઈ ગઈ.
દેશના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 15 લાખ 14 હજાર 331 થઈ ગઈ
દેશમાં 24 કલાકમાં વાયરસના 39, 726 નવા મામલા સામે આવ્યા છે.
દિલ્હીમાં સંક્રમણના કુલ મામલા વધી 6,45,632 થઈ ગયા
દેશના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 15 લાખ 14 હજાર 331 થઈ ગઈ
દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિ 24 કલાકમાં 25833 નવા કેસ સામે આવ્યા છે. સપ્ટેમ્બર બાદ રેકોર્ડ નોંધાયો. ત્યારે 58 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોનાના નવા મામલા બાદે દેશના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 15 લાખ 14 હજાર 331 થઈ ગઈ છે. ગત 24 કલાકમાં વાયરસના 39, 726 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 159 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 10 લાખ 83 હજાર 679 છે. જ્યારે એક્ટીવ કેસ 2 લાખ 71 હજાર 282 છે. ગત 24 કલાકમાં થયેલા મોત બાદ કુલ મૃત્યુઆંક 1 લાખ 59 હજાર 370 થઈ ગઈ છે. આઈસીએમઆર મુજબ 24 કલાકની અંદર 10,57, 383 કોરોના ટેસ્ટ થયા છે.
મહારાષ્ટની સ્થિતિ બેહાલ
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના 25,833 નવા કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર બાદ આ સૌથી મોટો આંકડો છે. માર્ચમાં નોંધાયેલા કેસમાં સૌથી વધારે છે. રાજ્યમાં સંક્રમણનો કુલ આંક 23, 96, 340 થઈ ગઈ છે. ગુરુવારે કોરોનાને કારણે 58 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યાર સુધીમાં રાજ્યમાં 53138 લોકો આ વાયરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે . ગત વર્ષે 11 સપ્ટેમ્બરે રાજ્યમાં 24, 886 કેસ મળ્યા હતા. એ બાદ ગુરુવારે આટલી મોટી સંખ્યામાં કેસ મળ્યા છે. આ દરમિયાન 12,764 દર્દીઓ હોસ્પિટલમાંથી રજા મળી છે. કુલ સ્વસ્થ થનારાની સંખ્યા 21, 75, 565 થઈ ગઈ છે. રાજ્યમાં આ દરમિયાન 166, 353 દર્દી સારવાર લઈ રહ્યા છે.
દિલ્હીમાં 607 નવા મામલા આવ્યા
દિલ્હીમાં 24 કલાકમાં 607 નવા મામલા આવ્યા છે . જે છેલ્લા અઢી મહિનાથી સતત સામે આવનારા મામલામાં સૌથી વધારે છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે વધુ એક દર્દીનું મોત થયું છે. જે બાદ મૃતકોની સંખ્યા 10, 949 પર પહોંચી ગઈ છે. બુલેટિન અનુસાર દર્દીઓની સંખ્યા 2924 થઈ ગઈ છે જે એક દિવસ પહેલા 2702 હતી. દિલ્હીમાં સંક્રમણના કુલ મામલા વધી 645632 થઈ ગયા છે અને અત્યાર સુધી 6.31 લાખ લોકો સાજા થઈ ગયા છે.
ગુજરાતમાં કોરોનાના 1276 નવા કેસ મળ્યા છે
ગુજરાતમાં ગત 24 કલાકમાં 1276 નવા કેસ સામે આવ્યા છે. આ બાદ કુલ કેસની સંખ્યા 282449 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાનુંસાર રાજ્યમાં ફક્ત 2 અઠવાડિયામાં સામે આવનારા મામલા 480થી વધીને 1200થી વધારે થઈ ગયા છે. આ દરમિયાન સીએમ વિજય રુપાણી લોકડાઉન પર વિચાર કરી રહી છે. કોવિડ 19ને કારણે અમદાવાદમાં 2 અને સુરતમાં વધું એક દર્દીનું મોત થયું છે. જેના કારણે રાજ્યમાં મુતકોની સંખ્યા 4433 થઈ ગઈ છે.