કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે રાજ્યોને જણાવ્યું કે તેમણે સામૂહિક રુપથી 23, 123 કરોડ રુપિયાના ઈમરજન્સી કોવિડ પ્રતિક્રિયા પેકેજ આઈઆઈ (ECRP-II)માંથી ફક્ત 17 ટકાથી વધારે ઉપયોગ કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળના ગત વર્ષ ઓગસ્ટમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર માટે મંજૂરી આપી હતી.
માંડવિયાએ રાજ્યોને આગ્રહ કર્યો કે પૈસાનો અસરકારક રીતે ઉપયોગ થાય અને આઈસીયૂ, ઓક્સિઝન બેડની સંખ્યા વધારવામાં આવે. ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 27, 553 નવા મામલા મળ્યા અને સક્રિય મામલાની સંખ્યા 1.22 લાખ પહોંચ્યા બાદ ત્રીજી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં માત્ર એક અઠવાડિયામાં સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ પુષ્ઠભૂમિમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ અને સ્વાસ્થ્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી છે.
પ્રાથમિક ઢાચામાં સુધારના આદેશ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અન્ય દેશ પોતાને ત્યા આવેલ ગત કોરોના લહેરની સરખામણીએ કેસમાં 3-4 ગણો વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે ભારતમાં પણ મામાલામાં ઉચ્ચા વૃદ્ધિ ચિકિત્સા પ્રણાલીને અસર કરી શકે છે. જેથી રાજ્યોએ પોતાના પ્રાથમિક ઢાંચામાં સુધાર માટે કોઈ કચાસ ન છોડવી જોઈએ જેથી ભારત કોરોનાના આ સંકટથી બચી શકે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઈસીઆરપી -II હેઠળ આઈસીયૂ બેડ, ઓક્સિઝન બેડ, પીડિયાટ્રિક આઈસીયૂ- એચડીયૂ બેડમાં વધારો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તેમને ટેલી મેડિસિન અને ટેલી પરામર્શ માટે આઈટી ઉપકરણોનો અસરકારક રીતે ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે. નોંધનીય છે કે બીજી લહેરના અનુભવના આધાર પર 23, 056 આઈસીયૂ બેડ નિર્માણની યોજનાને મંજૂરી અપાઈ છે.
આ 6 રાજ્યોમાં બેડ વધારવામાં આવશે
જે 6 રાજ્યોને દેશના ગ્રામીણ ભાગોમાં પ્રાથમિક સ્વાસ્થ્ય દેખરેખ કેન્દ્રો, માધ્યમિત સ્વાસ્થ્ય કેન્દ્રો અને સામુદાયિક સ્વાસ્થ્ય દેખરેખ કેન્દ્રોમાં 5 હજારથી વધારે બેડ વધારવાના છે. તેમાં ઉત્તર પ્રદેશ (11,770), બિહાર (9,920), આંધ્ર પ્રદેશ (9,596), ઓડિશા (8,206), આસામ (7,320) અને ઝારખંડ (5,798) સામેલ છે. 15 ડિસેમ્બરે મેડિકલ ઓક્સિજન સપ્લાયમાં વૃદ્ધિને લઈને સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને સૂચિત કર્યા હતા. કે 13, 74 હોસ્પિટલોમાં 958 લિક્વિડ મેડિકલ ઓક્સિજન ભંડારણ ટેંક અને મેડિકલ ગેસ પાઈપ લાઈન સિસ્ટમની સ્થાપના માટે ECRP-II ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. સાથે યોજના હેઠળ 14 000 ઓક્સિજન કન્સેન્ટ્રેટર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.