મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર ભારતમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 7579 નવા મામલા સામે આવ્યા છે. મંત્રાલયે જાણકારી આપી છે કે આ ગત 543 દિવસમાં સૌથી ઓછા છે. ત્યારે ગત 24 કલાકમાં દેશમાં 236 લોકોના મોત થયા છે.
સોમવારે રસીકરણનો કુલ આંક 117.63ને પાર થયો
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં આ સમય કોરોના સંક્રમણ સક્રિય મામલા 1, 13, 584 છે. ગત 537 દિવસમાં સૌથી ઓછા છે. આ દેશમાં કુલ મામલાના 0.33 ટકા છે. ગત 24 કલાકમાં 12, 202 લોકો સાજા થયા છે. તો સોમવારે રસીકરણનો કુલ આંક 117.63ને પાર થયો છે.
મંત્રાલયે કહ્યું છે કે મંગળવારે સવારે 7 વાગ્યા સુધીમાં દેશમાં 1,17,63,73,499 રસીના ડોઝ લાગ્યા છે. સોમવારે સાંજે 7 વાગે રસીના 63 લાખથી વધારે (63,98,165) ડોઝ અપાઈ ચૂક્યા છે. કોરોનાની સામે રસીકરણ અભિયાન ખૂબ મહત્વનું છે. જેથી તેની નિયમિત રીતે સમીક્ષા અને ઓબ્જર્વેશન કરવામાં આવી રહ્યું છે.
એક દિવસમાં કોરોનાના 84,88 નવા મામલા
ત્યારે સોમવારે જારી આંકડા અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોનાના 84,88 નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 3,45,18,901 થઈ ગઈ હતી. સોમવારે જાણકારી આપવામાં આવી છે કે 538 દિવસમાં સામે આવેલા સૌથી ઓછા દૈનિક મામલા હતા.
દેશમાં શું રહી કોરોનાની સ્થિતિ
દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા એક કરોડને પાર , આ વર્ષે 4 મેમાં 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ચાલ્યા ગયા હતા.