જ્યારે કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારે તે માત્ર ફેફસા સંબંધી બીમારી હતી, પણ હવે સમય જતાં આ વાયરસ ફેફસાની સાથે સાથે માનવીઓના બીજા અંગોને પણ નુકશાન કરે છે તેવું જાણવા મળ્યું છે.
કોરોનાથી માત્ર ફેફસાને જ નુકશાન નથી થતું
બીજા અંગોને પણ નુકશાન થઈ રહ્યું છે તેવો એક્સપર્ટનો દાવો
જો તમે પણ આવા કોઈ દુખાવાથી પીડાતા હોવ તો ડોકટરનો સંપર્ક કરવો
કોરોનાથી માત્ર ફેફસાને જ નુકશાન નથી થતું
જ્યારે કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારે તે માત્ર ફેફસા સંબંધી બીમારી હતી, પણ હવે સમય જતાં આ વાયરસ ફેફસાની સાથે સાથે માનવીઓના બીજા અંગોને પણ નુકશાન કરે છે તેવું જાણવા મળ્યું છે. એક્સપર્ટ લોકો કહે છે કે તે ત્વચાને પણ નુકશાન કરે છે, સાથે સાથે હ્રદય, કિડની અને મગજ સુધી પણ નુકશાન પહોંચાડી રહ્યું છે. હવે પછીના નવા નવા રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે માથાના ભાગમાં સોજો આવવો, સ્નાયુઓમાં દુખાવો અને બીજા ઘણા અંગોમાં નુકશાન થઈ રહ્યું છે.
બીજા અંગોને પણ નુકશાન થઈ રહ્યું છે તેવો એક્સપર્ટનો દાવો
કોરોના વાયરસ ફેલાતા શરૂઆતના દિવસોમાં કહેવામાં આવતું હતું કે આ રોગના કારણે લોકો માનસિક સમસ્યાઓથી વધુ પીડાશે. લોકોને વધુ પ્રમાણમાં માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. પણ આ ચેતવણીને ખોટી સાબિત કરવા માટે આખી દુનિયામાંથી આંકડા ભેગા કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે. પણ હવે આ બધા રિપોર્ટ્સ સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ બીમારીને કારણે લોકોમાં માનસિક ચિંતામાં ઘણો વધારો થઈ રહ્યો છે.
જો તમે પણ આવા કોઈ દુખાવાથી પીડાતા હોવ તો ડોકટરનો સંપર્ક કરવો
આ વાંચ્યા પછી તમે એમ લાગે છે કે અમને કેવી રીતે ખબર પડે કે કોરોના થયા પછી અમારા કયા કયા અંગોને નુકશાન થયું છે? જો તમને આવી શંકા કે પછી કોઈ બીજા અંગોમાં દુખાવો થઈ રહ્યો હોય તો સીધા તમારા નજીકના ડોકટરનો સંપર્ક કરવો.