ગુરુવારે જીએસટી કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યોને મહેસૂલ ઘટાડા માટે વળતર આપવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ સરકારે કહ્યું કે કોરોના વાયરસ મહામારીમાંથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનું (જીએસટી) કલેક્શન થઈ ગયું છે અને નાણાકીય વર્ષ 2020-21 માટે જીએસટીની આવકમાં રૂ. 2.35 લાખ કરોડનો ઘટાડો થવાની ધારણા છે.
ગઈકાલે યોજાઈ જીએસટી કાઉન્સિલની બેઠક
કોરોના મહામારીને લઈને બેઠકમાં થઈ ચર્ચા
કોરોના મહામારી કુદરતી આફત છે તેનાથી મંદી આવશે
આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કોરોના મહામારી એ કુદરતી આફત છે. આ એક કારક છે જેનાથી જીએસટી સંગ્રહ પ્રભાવિત થયો છે. આ વર્ષે અસાધારણ સ્થિતિનો સામનો કરવો પડશે. આ મહામારીના કારણે મંદીમાં વધારો જોવા મળી શકે છે.
નાણાંમંત્રીએ કહ્યું છે કે સરકારે નાણાંકીય વર્ષ 2019-20 ને માટે રાજ્યોને જીએસટી ક્ષતિપૂર્ણ રૂપમાં 1.65 લાખ કરોડ રૂપિયા જાહેર કર્યા છે. માર્ચ 13806 કરોડ રૂપિયા સામેલ છે. તેઓએ કહ્યું કે જીએસટી ક્ષતિપૂર્ણ માટે સેસ 95444 કરોડ રૂપિયા હતો જ્યારે રાજ્યોને 1.65 લાખ કરોડ આપવામાં આવ્યા છે.
રાજ્યોની આવકમાં આવેલી ખામીને ભરવા અંગે ચર્ચા
કેન્દ્રએ રાજ્યોની આવકમાં થયેલા ઘટાડાને ભરપાઈ કરવા માટે બજારથી ઉધાર લેવાનું કહ્યું છે. કેન્દ્રના આ પગલાંનો કેટલાક દળ વિરોધ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં માલ અને સેવા કર પરિષદની 41મી બેઠક વીડિયો કોન્ફરન્સથી થઈ હતી. તેમાં દરેક રાજ્યોના પ્રતિનિધિ સામેલ છે. બેઠકમાં રાજ્યોની આવકમાં આવેલી ખામીને ભરવા અંગે ચર્ચા કરાઈ છે. કોંગ્રેસ અને અન્ય કેટલાક પક્ષના શાસનના રાજ્ય આ વાત પર ભાર મૂકી રહ્યા છે કે ખોટને ભરવી એ કેન્દ્ર સરકારની જવાબદારી છે.
કેન્દ્ર સરકારે કાયદીકીય વાત કરતાં કહ્યું કે જો સંગ્રહમાં ખામી છે તો તેની કોઈ બાધ્યતા નથી. સૂત્રોના આધારે કેન્દ્રની સાથે સાથે ભાજપા-જદયૂ શાસિત બિહારે સૂચન કર્યું કે રાજ્યોના કર આવકમાં આવેલી ખામી ભરપાઈ કરવા માટે બહારથી ઉધાર લેવું. બેઠકમાં અન્ય જે વિકલ્પો પર વિચાર કરાયો છે તેમાં બજારથી લેવાયેલું ઉધાર અને વસ્તુની સંખ્યામા વધારો સામેલ છે.
મળતી માહિતી અનુસાર જીએસટી પરિષદની બેઠકમાં પશ્ચિમ બંગાળની સાથે પંજાબ, કેરળ અને દિલ્હીએ કેન્દ્રની આવકની ખામીને ભરપાઈ કરવા કહ્યું છે. સીતારમણે મહાન્યાયવાદીના કે વેણુગોપાલની વાતને સમર્થન આપતાં કહ્યું કે કેન્દ્ર પોતોના ખજાનામાંથી કોઈ પણ પ્રકારની ખામીને ભરપાઈ કરવા બંધાયેલું નથી. કેન્દ્ર સરકારે માર્ચમાં મહાન્યાયવાદીથી આવકમાં ખામીને પૂરવા માટે જીએસટી પરિષદ દ્વારા બજારથી લીધેલા ઉધારની સમયસીમા પર પણ સૂચનો માંગ્યા છે.