કેન્દ્ર સરકારના આ એલાન બાદ અનેક રાજ્યોએ અહીં મફત રસી આપવાનું એલાન કર્યુ છે.
આ પાંચ રાજ્યોમાં કોરોનાનુ રસીકરણ મફત
યુપીની સાથે કેરળ, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ અને છત્તીસગઢના લોકોને મફત રસી
દેશમાં 1મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ ખોલી દેવામાં આવ્યું છે
દેશમાં 1મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ ખોલી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના આ એલાન બાદ અનેક રાજ્યોએ અહીં મફત રસી આપવાનું એલાન કર્યુ છે. કેન્દ્રના આ નિર્ણય બાદ સૌથી પહેલા ઉત્તર પ્રદેશે આ એલાન કર્યુ કે રાજ્યના લોકોને મફત રસી લગાવવામાં આવશે. યુપીની સાથે કેરળ, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ અને છત્તીસગઢના લોકોને મફત રસી આપવાનું એલાન કર્યુ છે.
કેરળ
કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને બુધવારેની સાંજે કહ્યુ કે રાજ્યના 18 વર્ષથી ઉપરના લોકોએ મફ્ત કોરોના વાયરસની રસી લગાવાશે. તેમણે કહ્યુ કે રાજ્ય સરકારોને રસીના ડોઝ ખરીદવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે રાજ્ય પર પહેલાથી નાણાકીય ભારણ છે. તેમણે કહ્યું કે રાજ્યોને આર્થિક સંકટમાં ધકેલવાની જગ્યાએ કેન્દ્ર રાજ્યોને મફત રસી આપવી જોઈએ.
બિહાર
સીએમ નીતિશ કુમારે બુધવારે ટ્વીટ કરી એલાન કર્યુ કે રાજ્યમાં 18 વર્ષથી ઉપરના તમામને મફત રસી મળશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં પહેલાથી લોકોને મફત રસી મળી રહી છે. રાજ્યની વિધાનસભા ચૂંટણી સમયે એનડીએએ મફત રસીકરણની જાહેરાત કરી હતી. જેથી રાજ્યના ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મફત રસીકરણ થઈ રહ્યુ છે.
ઉત્તર પ્રદેશ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્ય સરકારે પોતાના સંસાધનોથી મફત રસીકરણ કાર્યક્રમ ચલાવશે. સીએમે કહ્યું કે રસીકરણ અભિયાનને વ્યાપક સ્તર પર ચલાવવા માટે સ્વાસ્થ્ય વિભાગ કાર્ય યોજના બનાવી કામ કરશે. તેમણે કહ્યું કે રસીકરણ સેન્ટર વધારાશે તમામના ડેટા તૈયાર કરાશે અને રસીકરણ માટેની સ્ટોરેજથી માંડી પરિવહન સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
આસામ
સ્વાસ્થ્ય મંત્રી હિમંતા વિશ્વાસ સરમાએ બુધવારે કહ્યુ કે રાજ્ય સરકાર એક મેથી 18થી 45 વર્ષના લોકોને મફત રસી આપશે. તેમણે કહ્યું કે ગત વર્ષ કોવિડ 19ને પહોંચી વળવા મળેલી દાનની રકમનો ઉપયોગ રસીકરણ માટે કરવામા આવશે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ ભારત બાયોટેકને પહેલાથી રસીના એક કરોડ ડોઝ માટે પત્ર લખી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે સરમાએ ગત વિધાનસભામાં જણાવ્યું હતુ કે 53534 લોકોએ કોરોનાની વિરુદ્ધ મદદ કરવા માટે 116.1 કરોડ નું દાન આસામ આરોગ્ય નિધિમાં આપ્યુ છે.
મધ્ય પ્રદેશ
સીએમ શિવરાજસિંહ ચૌહાને બુધવારે જાહેરાત કરી કે એક મેથી રાજ્યમાં 18 વર્ષથી વધારે ઉંમરના તમામને મફત રસી લગાવાશે. ટ્વીટમાં કહ્યું કે મઘ્ય પ્રદેશમાં 18થી વધારે ઉંમરના તમામ લોકોને મફત રસી લાગશે. બીજ ટ્વીટમાં કહ્યું કે પ્રિય બહેનો અન ભાઈઓ જો કોવિડ 19ને હરાવવો છે તો સંક્રમણની ચેન તોડવી પડશે. જેથી ઘરે રહો અને ગામ, શહેર, કોલોની અથવા મોહલ્લામાં કોરોના કર્ફ્યૂ લગાવી દો, 30 એપ્રિલ સુધી ઘર પર જ રહો. અને કોરોનાને હરાવો.