કોરોનાના કારણે લોકડાઉનનમાં અનેક ઉદ્યોગો પર ખૂબ જ માઠી અસર પડી છે. આ સમય દરમિયાન પ્રવાસન સાથે જોડાયેલા વેપારને પણ ખૂબ નુકસાન પહોચ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે રોજગારીની એક નવી તક ઉભી થઇ હતી પરંતુ લોકડાઉનના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ તેમજ નાની મોટી દુકાનો તેમજ હોમ સ્ટે પર આધારિત 10,000 વ્યક્તિઓની રોજગારી પર હાલ બ્રેક લાગી છે.હાલ રોજિંદી આવક બંધ થઇ છે પરંતુ કારીગરોનો પગાર, અન્ય ખર્ચ જેવા કે ટેક્સ અને વિજબીલ વગેરે ભરવાનું હોવાથી વેપારીઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં છે.
લોકડાઉન પહેલા રોજના 15 હજાર પ્રવાસીઓ આવતા
જેની સામે સરદાર પટેલ ટ્રસ્ટ ને 4 થી 5 લાખ ની આવક થતી.
હાલ 500 કર્મચારીઓ કામ તો કરી રહ્યા છે જેમનો 10 લાખ કરતા વધારે પગાર ચુકવાયો
લોકડાઉન ઇફેક્ટ- સ્ટેચ્યુ ઓફ યુનિટી સતત 3 મહિનાથી બંધ થતા પ્રવાસન સાથે સંકળાયેલા 10,000થી વધુ લોકોની રોજગારી પર પડી રહી છે વિપરીત અસર જોઈએ ખાસ અહેવાલ માં.
હોમ સ્ટે પર આધારિત 10,000 વ્યક્તિઓની રોજગારી પર હાલ બ્રેક
જિલ્લામાં અન્ય ઉદ્યોગો ન હોવાને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ રોજગારીનો એક શ્રેષ્ઠ વિકલ્પ ઉભો થયો છે,ત્યારે લોકડાઉનનો કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રકલ્પો 19 માર્ચથી સતત બંધ છે, ત્યારે અંકલેશ્વરથી કેવડિયા અને વડોદરાથી કેવડિયા રોડ વચ્ચે તેમજ નર્મદા જિલ્લામાં પ્રવાસન સાથે સંકળાયેલ હોટેલ, ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ તેમજ નાની મોટી દુકાનો તેમજ હોમ સ્ટે પર આધારિત 10,000 વ્યક્તિઓની રોજગારી પર હાલ બ્રેક લાગી છે.હાલમાં તમામ લોકો ઘરે બેઠા છે.આવી જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ નર્મદા હોટેલ, રમાડા હોટલ સરકાર દ્વારા બનાવેલ આવેલ અનેક પ્રોજેક્ટો સતત બંધ હોય રોજિંદી આવક બંધ તો થઈ ઉપરાંતમાં કારીગરોને બેઠો પગાર પણ આપી રહ્યા છે અને અન્ય ખર્ચ જેવા કે ટેક્સ અને વિજબીલ પણ તેઓ ભોગવી રહયા છે.
મહામારી વચ્ચે 3 મહિનાથી ટેન્ટસિટી ખોટ માં
તો કેવડિયામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ જીઓલોજીકલ પાર્ક પણ જે ફેબ્રુઆરીમાં જ શરૂ થયો અને માર્ચથી સતત બંધ હાલતમાં છે,જોકે આ તમામ વચ્ચે ટેન્ટ સીટી વન અને ટેન્ટસિટી 2 માં હાલ પ્રવાસીઓ ન આવવાને કારણે સુમસામ ભાસી રહ્યું છે ટેન્ટ સીટી ના મેનેજર નું કહેવું છેકે 2018 થી શરૂ કરવામાં આવી ત્યારથી sou પર આવતા પ્રવસીઓ માટે ટેન્ટ સીટી માં રહેવા માટે સૌથી વધુ પ્રવાસીઓ આવતા હતા જોકે કોરોના મહામારી વચ્ચે 3 મહિનાથી ટેન્ટસિટી ખોટ માં ચાલી રહી છે આ ટેન્ટ સીટી માં 120 જેટલા કર્મચારીઓ કામ કરે છે અને હાલ પણ છે જેમને કંપની તરફ થી પગાર પણ આપવામાં આવી રહ્યો છે જો હવે લોકડાઉન લંબાઈ તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે જોકે સરકાર દ્વારા પ્રવાસન ધામો ખોલવમાં આવે તો હોટલો કે નાના ધધા રોજગાર ચાલી શકે.
500 કર્મચારીઓ અલગઅલગ જગ્યા એ કામ કરી રહ્યા છે
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આધારિત પ્રવાસન આધારિત ઉદ્યોગ વિકસ્યો છે ત્યારે લાંબા સમયથી સતત દેશવિદેશના પ્રવાસીઓથી ધમધમતા આ વિસ્તારને જાણે નજર લાગી છે અને તમામ લોકોને આર્થિક નુક્સાનીનો સામનો કરવો પડી રહ્યો છે.જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં 500 કર્મચારીઓ અલગઅલગ જગ્યા એ કામ કરી રહ્યા છે ત્યારે આ કર્મચારીઓ ને પગાર તો sou તરફ થી ચુકાવવામાં આવે છે પણ હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ હાલ કોરોનટાઇન પર મુકાઈ છે અને તમામ રોડ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે ત્યારે sou ના જોઈન્ટ ડે સીઈઓ નિલેશ દૂબે પણ સરકાર પ્રવાસન ધામ ખોલે જે માટે પ્રવાસીઓને આવકારવા તૈયાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, જોકે હાલ sou ના ખોટ ના આંકડા જોઈએ તો, લોકડાઉન પહેલા રોજના 15 હજાર પ્રવાસીઓ આવતા હતા. જેની સામે સરદાર પટેલ ટ્રસ્ટ ને 4 થી 5 લાખ ની આવક થતી. હાલ 500 કર્મચારીઓ કામ તો કરી રહ્યા છે જેમનો 10 લાખ કરતા વધારે પગાર ચુકવવમાં આવી રહ્યો છે. હોટલો ટેન્ટ સીટી ની વાત કરીયે તો ટેન્ટસિટી માં 125 થી વધુ લોકો આવતા અને અંદાજિત રોજના 5 લાખ જેટલી આવક થતી જે હાલ બંધ છે. રમાડા હોટલ જે 3 સ્ટાર છે જેમાં 55 રૂમ આવેલ છે અને જેંમા રોજના 2 થી 3 લાખ ની આવક થતી હતી.