મંગળવારે વડા પ્રધાન મોદીએ દેશને સંબોધન કરતાં કહ્યું કે આ રાહત પેકેજ લગભગ 20 લાખ કરોડનું હશે. જેમાં સરકારના તાજેતરના નિર્ણય અને રિઝર્વ બેંકની જાહેરાતોનો સમાવેશ થાય છે. આ દેશના જીડીપીના લગભગ 10 ટકા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આ પેકેજ વિશે વિસ્તૃત વિગતો આપશે. પરંતુ સવાલ એ છે કે આ આર્થિક પેકેજ માટે સરકાર પાસે પૈસા ક્યાંથી આવશે. ચાલો તેનું ગણિતને સમજીએ.
સરકાર વધુ લોન લઈ રહી છે
સરકાર આરબીઆઈ પાસેથી પૈસા લેશે
સરકાર સામે નાણાંકીય ખોટને ઘટાડવી એક મોટો પડકાર છે
સરકાર લોન લઈ રહી છે
હકિકતમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે બજારમાંથી લોન લેવાનો લક્ષ્યાંક વધાર્યો છે. મહત્ત્વની વાત એ છે કે સામાન્ય બજેટમાં તેનું લક્ષ્યાંક 7.8 લાખ કરોડ રૂપિયા હતું. એટલે સ્વાભાવિક છે કે આ વર્ષે સરકાર 4.2 લાખ કરોડની વધારાની લોન લેશે.ગત દિવસોમાં જ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના સંકટને કારણે દેવાનું લક્ષ્યાંક વધારવી જરૂરી છે. પ્રથમ 6 મહિનામાં માર્કેટ ગિલ્ટ્સ (બોન્ડ) દ્વારા રૂ. 6 લાખ કરોડ એકત્ર કરવામાં આવશે. આ નાણાં કોરોનાથી અર્થવ્યવસ્થા બચાવવા માટે ખર્ચ કરવામાં આવશે.
અસર શું હશે?
ગત દિવસોમાં જાપાની બ્રોકરેઝ ફમ નોમુરાએ કહ્યું હતું કે સરકાર 12 લાખ કરોડ રૂપિયાની ઉધાર માર્કેટમાંથી લઈ રહી છે. આ સાથે રાજકોષીય ખોટ 5.5-6 ટકા સુધી જઈ શકે છે. જ્યારે કે સરકારે આ વર્ષ આ 3.5 ટકા હોવાનો અંદાજ લગાવ્યો છે. આ નાણાંકીય ખોટને ઘટાડવી એક મોટો પડકાર છે.
જો કે આ માટે વિવિધ પગલા પણ લેવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારીને, 1.4 લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવશે. બજારના નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થવાનો સમયગાળો જોવા મળશે. આવી સ્થિતિમાં સરકાર માટે ટેક્સ લગાડવો વધુ સરળ થઈ ગયો છે. આને કારણે સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલ પર કોઈ મોટી રાહત નહીં મળે, પરંતુ કિંમતોમાં વધારે તફાવત નહીં આવે.
આરબીઆઈ પણ મદદ કરશે
રિઝર્વ બેંક પણ કોરોના સંકટમાં સરકારને મદદ કરશે. હકીકતમાં ભૂતકાળમાં ન્યૂઝ એજન્સી રૉયટર્સે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક પાસેથી 45 હજાર કરોડની મદદ માંગવાની તૈયારી કરી છે. રૉયટર્સના સમાચારો અનુસાર, આવક વધારવા માટે સરકાર આ પગલાં ભરશે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઈ મોટા પ્રમાણમાં નફો વેપાર કરન્સી અને સરકારી બોન્ડ દ્વારા ફાયદો મેળવશે છે. આરબીઆઈ આ કમાણીનો એક ભાગ તેના ઓપરેટિંગ અને ઇમર્જન્સી ફંડ તરીકે જાળવે છે. આ પછી બાકીની રકમ સરકારને ડિવિડન્ડ તરીકે જાય છે.