દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અનિલ ચૌધરીની દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સાવચેતીના ભાગ રૂપે અટકાયત કરાઇ છે. તેમના પર દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર પર પ્રવાસીઓને જમા કરવાનો આરોપ છે.
કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અનિલ ચૌધરીની દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અટકાયત કરાઇ
તેમના પર દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર પર પ્રવાસીઓને જમા કરવાનો આરોપ છે
પોલીસનું કહેવું છે કે અનિલ ચૌધરી શનિવારે અને રવિવારે ઘણી મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકોની સાથે દિલ્હી અને યુપી બોર્ડર પર આવ્યા હતા. આ દરમિયાન તેમના દ્વારા સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કરવામાં ન આવ્યું. તેનાથી કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી શકે છે. તેથી પોલીસે આ પગલુ ઉઠાવવું પડ્યું છે.
मुझे मेरे निवास स्थान पर पुलिस द्वारा डिटेंड किया गया है, पता नहीं क्यूँ ? जैसे ही पता चलेगा आपको सूचित करूँगा । pic.twitter.com/vtpPsQv26o
તેને લઇને ચૌધરીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયો પણ શૅર કર્યો છે. આ વીડિયોમાં તેમની પાછળ ઘણા પોલીસવાળા દેખાઇ રહ્યા છે. વીડિયોમાં ચૌધરીએ કહ્યું કે નમસ્કાર હું ચૌધરી અનિલ કુમાર દિલ્હી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ આજે જેવો હું સુઇને ઉઠ્યો તો મારા ઘરે મારા એરિયાના એસએચઓ પહોંચ્યા. તેઓએ જણાવ્યું કે મને ડિટેન કરાયો છે. હું ઘરેથી બહાર ન જઇ શકતો નથી. મને નથી જાણતો કેમ? પરંતુ જો મને જાણકારી આપવામાં આવશે તો પછી આપને જણાવીશ.
જ્યારે પૂર્વી દિલ્હીના ડીસીપી જસમીત સિંહનું કહેવું છે કે અનીલ ચૌધરીને ઘરમાં ડિટેન કરવામાં આવ્યા છે. ડીસીપીએ કહ્યું કે, ચૌધરી અને કોંગ્રેસના કાર્યકર્તા કાલે અને આજે બંને દિવસ પ્રવાસી મજૂરોને ગાડીઓમાં ભરીને દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર લઇ ગયા હતા. આ દરમિયાન તેઓેએ ન માસ્ક હતું ન સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું પાલન કર્યું હતું. પોલીસનું કહેવું છે કે પ્રવાસી મજૂરોને તેમના ગામ મોકલવાની એક સિસ્ટમ છે જેને અનુસરવામાં આવી રહી નથી.
નોંધનીય છે કે રાજધાની દિલ્હીમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 438 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 6 દર્દીઓના મોત થયા છે.