દુનિયાભરમાં કોરોનાવાયરસના કેસ અને કોરોનાથી મૃત્યુંનો આંકડો સતત વધી રહ્યો છે. તમામ પ્રયત્ન છતા કોરોના પર અંકુશ લગાવામાં સફળતા મળી રહી નથી. આ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ શુક્રવારના રોજ ચેતવણી આપી છે કે જો વાયરસને રોકવા માટે વૈશ્વિક સ્તર પર જો મોટા પગલા લેવામાં નહી આવે તો Covid-19થી થનારો મૃત્યુંનો આંકડો 20 લાખ સુધી પહોંચવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં મૃત્યુંની સંખ્યા 10 લાખ પહોંચવાની નજીક છે.
WHO તરફતી આ ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે દુનિયામાં કોરોનાના મૃત્યુંનો આંકડો 10 લાખ સુધી પહોંચવાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે જો મહામારી સામેના જંગમાં અલગ-અલગ દેશ એક સાથે નહીં આવે તો, 10 લાખથી વધુ મૃત્યુંની આશંકાથી ઇન્કાર ન કરી શકાય.
WHOના ઇમર્જન્સી કાર્યક્રમના નિદેશક માઇકલ રેયાને એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં કહ્યું, 10 લાખનો આંકડો ડરાવનારો છે અને આગળના 10 લાખ પર વિચાર શરૂ કરતા પહેલા આપણે તેના પર વિચાર કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે શું આપણે કોરોનાથી થનારા મૃત્યુંને રોકવા માટે સામૂહિક રીતે પગલા ઉઠાવવા તૈયાર છીએ ? જો આપણે પગલા નહીં લઇ તો, હાં, દૂર્ભાગ્યથી ઘણી વધારે સંખ્યા જોઇશું.