ભારતમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે દૈનિક સંક્રમણના આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે કોરોનાની ગતિ ચિંતાજનક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. કોરોનાથી થતા મોતની વાત કરીએ તો આંકડા ડરાવી દેનારા છે. અમેરિકા અને બ્રાઝિલના મોતના આંક બાદ હવે વિશ્વમાં મૃત્યુઆંકમાં ભારત ત્રીજા નંબરે પહોંચ્યું છે. 2 ઓક્ટોબરે એટલે કે ગઈકાલે ભારતમાં મોતનો આંક 1 લાખને પાર કરી ચૂક્યો છે.
દેશમાં વધી રહ્યો છે કોરોના વાયરસનો કહેર
મૃત્યુઆંકમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું
દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1 લાખને પાર થયો
સૌથી વધુ સરેરાશ મોત ભારતમાં નોંધાયા
વિશ્વમાં કોરોનાના કારણે સૌથી વધુ સરેરાશ મોત ભારતમાં નોંધાઇ રહ્યાં છે. દેશમાં દરરોજ સરેરાશ 1100 દર્દી જીવ ગુમાવી રહ્યાં છે. અમેરિકા અને બ્રાઝિલમાં મોતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અમેરિકામાં હવે સરેરાશ 800 લોકોનાં મોત નોંધાઇ રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર શુક્રવાર સવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 1095 દર્દીનાં મોત થતાં મહામારીમાં જીવ ગુમાવનારા કુલ દર્દીઓની સંખ્યા 1 ,00,000 નજીક 99773 ઉપર પહોંચી ગઇ હતી. 24 કલાકમાં કોરોનાના 81484 નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 6394069 ઉપર પહોંચી હતી. છેલ્લા ૨૪ કલાકમાં 78877 દર્દીએ કોરોનાને માત આપતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 5348653 થઇ હતી. આ સાથે કોરોના દર્દીઓમાં રિકવરી રેટ 83.70 ટકા થયો હતો. દેશમાં હાલ 9455858 દર્દી સારવાર હેઠળ છે. આઇસીએમઆરના જણાવ્યા અનુસાર ગુરુવારે દેશમાં 1097947 સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં. કોરોનાનો પોઝિટિવિટી રેટ 7.42 ટકા રહ્યો હતો
भारत में पिछले 24 घंटे में 1,069 मौतों के बाद देश में कोरोना वायरस से हुईं मौतों का आंकड़ा एक लाख के पार पहुंचा।#COVID19 पॉजिटिव मामलों की कुल संख्या 64,73,545 हुई जिसमें 9,44,996 सक्रिय मामले, 54,27,707 ठीक/डिस्चार्ज/विस्थापित मामले, 1,00,842 मौतें शामिल हैं:स्वास्थ्य मंत्रालय pic.twitter.com/mN6RLgYAUw
આમ ભારત હવે મૃત્યુની બાબતમાં 1 લાખથી વધુ લોકોના જીવન લેનાર વાયરસનો ભોગ બનનાર વિશ્વમાં ત્રીજા નંબરે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જે આંકડા જાહેર કરેલા આંકડાથી ભારત હવે અમેરિકાના 2.12 લાખ લોકોના મૃત્યુ થયો છે. બ્રાઝીલમાં 1.44 લાખ લોકોએ કોરોનાના કારણે અંતિમ વિદાય લીધી છે અને હવે ભારત આ યાદીમાં 1 લાખના આંકડાને પાર કરી જશે.
આટલા દર્દીઓ થઈ ચૂક્યા છે સ્વસ્થ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યારસસુધીમાં કુલ 53,52,078 લોકો સંક્રમણ મુક્ત થયા છે. દેશમાં હજુ 9,42,217 દર્દીઓની કોરોનાની સારવાર ચાલી રહી છે. કુલ કેસ 14.74 ટકા છે. કોરોનાથી મૃત્યુદર 1.56 ટકા છે. ભારતમાં કોરોનાના કેસ 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખ અને 28 સપ્ટેમ્બરે 60 લાખને પાર થયા હતા. દેશમાં એક ઓક્ટોબર સુધીમાં કુલ 7,67,17,728 કેસની તપાસ થઈ છે અને તેમાંથી 10,97,947 કેસની તપાસ ગુરુવારે થઈ હતી.
कल (1अक्टूबर) तक कोरोना वायरस के लिए कुल 7,67,17,728 सैंपल टेस्ट किए गए, जिनमें से 10,97,947 सैंपल कल टेस्ट किए गए: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19pic.twitter.com/qHEOPBVdN3
છેલ્લા 24 કલાકમાં 1095 લોકોના મોત થયા છે તેમાંથી સૌથી વધુ 394 મોત મહારાષ્ટ્રમાં થયા છે. કર્ણાટકમાં 130, ઉત્તરપ્રદેશમાં 80, તમિલનાડુમાં 66, પ.બંગાળમાં 45, આંધ્રપ્રદેશમાં 41, દિલ્હીમાં 40, છત્તીસગઢ અને કેરળમાં 29-29 મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ મોતનો આંક 37480 છે. તમિલનાડુમાં 9586, કર્ણાટકમાં 8994, આંધ્રપ્રદેશમાં 5869, યૂપીમાં 5864, દિલ્હીમાં 5401, ગુજરાતમાં 3460 થયો છે.