ભારતમાં કોરોના વાયરસની ભયંકર લહેરની વચ્ચે મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકારે મોટું નિવેદન આપ્યું છે.
ભારતમાં કોરોના વાયરસની ઘાતક લહેર
મે મહિનાના મધ્યમાં આવી શકે છે પિક : સુબ્રમણ્યમ
અર્થતંત્ર પર મોટી અસર નહીં પડે : સુબ્રમણ્યમ
ભારતમાં કોરોના વાયરસની નવી લહેર ચાલી રહી છે અને પીએમ મોદીએ પણ સ્વીકાર્યું છે કે આ લહેરની 'તૂફાન' છે ત્યારે મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમે કહ્યું છે કે આવતા મહિના સુધી પણ આ લહેર ચાલુ રહી શકે છે અને તેની પિક મે મહિનાના મધ્યમમાં આવી શકે છે.
મે મહિનાના મધ્યમાં આવી શકે છે પિક : સુબ્રમણ્યમ
સુબ્રમણ્યમે કહ્યું કે હું કોઈ મહામારીનો જાણકાર નથી. મેં મહામારી પર નજર રાખી છે અને મેં ઘણા બધા જાણકારોના પેપર વાંચ્યા છે. રિસર્ચના આધારે હું કહી શકું છું કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની પિક મે મહિનાના મધ્યમાં આવશે.
અર્થતંત્ર પર શું અસર પડશે
નોંધનીય છે કે કોરોના વાયરસ મહામારીના કારણે ભારતના અર્થતંત્ર પર પહેલા જ જોરદાર ફટકો પડ્યો છે. પહેલી લહેરમાંથી દેશ ધીમે ધીમે બહાર આવી રહ્યો હતો ત્યાં જ આ બીજી લહેર આવતા અર્થતંત્રને લઈને પણ સવાલ ઊભા થયા છે ત્યારે સુબ્રમણ્યમે કહ્યું છે કે કોરોના વાયરસના આ સંકટની કોઈ વધારે અસર અર્થવ્યવસ્થા પર નહીં પડે. કારણ કે MSMEએ પ્રોડક્શન લોસથી બચવા માટે ઘણા બધા ઉપાય કર્યા છે. તેમણે કહ્યું કે ભારત એવા ઉપાય કરી રહ્યું છે કે જે આફતને અવસરમાં બદલી શકે છે.
કોરોના વાયરસ કેસ અપડેટ :
ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 2 લાખ 95 હજાર 41 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 2023 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ ભારતમાં એક દિવસમાં 1,67,457 લોકોએ કોરોના વાયરસને હરાવ્યો પણ છે અને સાજા થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધારે લોકોને કોરોના વાયરસની રસી આપી દેવામાં આવી છે.