ભારતમાં કોરોના વાયરસના રોજ નોંધાતા કેસમાં વધવા અને ઘટવાનો દોર ચાલુ છે. મંગળવારે 3 મહિનામાં પહેલીવાર 47 હજારથી ઓછા દૈનિક મામલા બાદ આજે એટલે કે બુધવારે કોરોનાના 54 હજારથી વધારે કેસ નોંધાયા છે. આ ઉપરાંત દેશમાં કોરોનાના રોજની નોંધાતી મૃતકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. ત્યારે દેશમાં સંક્રમિતોની સંખ્યા 76 લાખને પાર થઈ છે. આ ઉપરાંત કોરોનાથી સાજા થનારા લોકોનોની સંખ્યા 67 લાખથી વધારે થઈ ગઈ છે.
બુધવારે કોરોનાના 54 હજારથી વધારે કેસ નોંધાયા
સાજા થનારા લોકોનોની સંખ્યા 67 લાખથી વધારે થઈ ગઈ
દેશમાં સંક્રમિતોની સંખ્યા 76 લાખને પાર થઈ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાનુંસાર ગત 24 કલાકમાં કોરોના વાયરસના 54, 044 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે આ દરમિયાન 717 લોકોના મોત થયા છે. દેશમાં કુલ 76,51,108 લોકો કોરોનાગ્રસ્ત છે.
આંકડામાં જણાવ્યાનુંસાર અત્યાર સુધીમાં 67, 95, 103 દર્દીઓ આ બિમારીમાંથી સાજા થયા છે. ગત 24 કલાકમાં 61, 775 દર્દી આ બિમારીમાંથી સાજા થયા છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યામાં સતત 8 લાખથી ઓછી રહી છે.
હાલમાં દેશમાં સક્રિય મામલાઓની કુલ સંખ્યામાં 740090 છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 8448 દર્દીઓ ઓછા થયા છે. એક્ટિવ કેસમાં અને સાજા થયેલા દર્દીઓની સંખ્યાનાં અંતરમાં વૃદ્ધિ થઈ છે. ત્યારે ખતરનાક વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 115914 લોકોના મોત નિપજ્યા છે.