મહારાષ્ટ્રમાં કોરોનાના ફેલાતા ચેપ વચ્ચે મુંબઈથી રાહત મળવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું કે આજે મુંબઈમાં ફક્ત 700 નવા કેસ નોંધાયા છે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, એક દિવસમાં 8776 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, 100 દિવસ બાદ આ પ્રથમ વખત થયું હતું.
મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે આવ્યા રાહતના સમાચાર
સરકારના મંત્રી અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને આપી માહિતી
ઠાકરેએ કહ્યું કે બીએમસી દ્વારા શરૂ કરવામાં આવેલા 'ચેઝ ધ વાયરસ' અભિયાન અંતર્ગત મુંબઈમાં વધુ ટેસ્ટિંગ કરવામાં આવશે. તેનો અમલ મહારાષ્ટ્રમાં પણ કરવામાં આવશે.
The good news: Only 700 cases today in Mumbai & that too with highest testing till date in Mumbai in a single day(8776).This is chase the virus in full capacity. A major relief after 3 months.
Caution: don’t let the guard down! Don’t let your mask down! Only get numbers down!
નોંધપાત્ર વાત એ છે કે, શરૂઆતમાં મહારાષ્ટ્રમાં ઝડપી ચેપ ફેલાયો હતો, પરંતુ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અને અભિયાનોની મદદથી અહીં પરિસ્થિતિને અંકુશમાં લેવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 57.84 ટકા થયો
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ સોમવાર સુધીમાં રાજ્યમાં રિકવરી રેટ 57.84 ટકા થયો છે. તો, મૃત્યુ દર 3.62 ટકા છે. રાજ્યમાં હાલમાં 9,22,637 ઘર હોમ ક્વોરન્ટાઇન અને 44,136 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઇન છે. સોમવારે દેશમાં કોરોનાના કહેરથી પ્રભાવિત આર્થિક રાજધાની મુંબઇમાં પણ કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા નોંધાઇ હતી