કોરોના વાયરસના કારણે દેશમાં 40 દિવસ તાળાબંધી કરવામાં આવી. આશા હતી કે લોકડાઉનમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકશે. પરંતુ જે પ્રમાણમાં દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તે પરથી કહી શકાય કે લોકડાઉન છતાં કોરોના કેસમાં ભારે ઘટાડો થઇ શક્યો નથી.
40 દિવસ દેશ સજ્જડ બંધ રહ્યો છતાં કોરોના કેસમાં કોઈ ઘટાડો નહીં
જુન-જુલાઈમાં કોરોના વાયરસના કહેર સામનો કરવા ડૉ. ગુલેરિયાએ આપી ચેતવણી
પહેલાં કરતા વધુ ટેસ્ટિંગના પરિણામે વધી રહ્યા છે કેસ
લોકોને કોરોના વાયરસની ભયંકર સ્થિતિ માટે તૈયાર રહેવા તાકીદ
AIIMS ના ડિરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે 40 દિવસ સજ્જડ બંધ રહેવા છતાં દેશમાં કોરોના કેસમાં ઘટાડો થયો નથી. દેશમાં હાલમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. જોકે રેડ ઝોનમાં વધુ કડક લોકડાઉનનું અમલ કરવામાં આવ્યું છે ત્યાં રણદીપ ગુલેરિયાએ ઈટાલી અને ચીનનું ઉદારહણ આપતાં જણાવ્યું કે સોશિયલ ડીસ્ટન્સ માટે પગલાં લીધા તેના એક મહિના પછી પરિણામો જોવા મળ્યા હતા. જોકે ભારતની પરિસ્થિતિ પર હાલમાં તે વિશે કહી શકાય નહીં ત્યાં એઈમ્સના ડૉ.રણદીપ ગુલેરિયાનું માનવું છે કે જૂન અને જુલાઈમાં કોરોના વાયરસ ભારતમાં પિક પર હશે.
According to modeling data&the way our cases are increasing, it is likely that peak can come in June&July. But there are many variables&with time only we will know how much they are effective&the effect of extending the lockdown: Randeep Guleria, AIIMS Director #COVID19pic.twitter.com/G28on79Wzy
રણદીપ ગુલેરિયા અનુસાર ભારતમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તે જોઇને તે કહેવું મુશ્કેલ છે કે કોરોના વાયરસ ક્યારે પીક પર હશે. પરંતુ સંભાવનાઓ છે એક જુન અને જુલાઈમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ હશે જેના માટે આપણે તૈયાર રહેવું જોઈએ. આરોગ્ય અને અર્થવ્યવસ્થા બધું એક સાથે મગજમાં રાખીને કામ કરવું પડશે.
ડૉ. ગુલેરિયા અનુસાર કોરોના વાયરસના કેસ વધવા પાછળ કોરોના વાયરસની ટેસ્ટિંગમાં વધારો પણ હોઇ શકે છે. પહેલાં કરતા વધુ ટેસ્ટિંગના કારણે વધુ કેસ સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે ભારતમાં જેટલી ટેસ્ટિંગ થાય છે તેમાંથી 4થી 4.5 ટકા લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવે છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં કોઈ જ ઘટાડાના સંકેત દેખાતાં નથી. મુંબઈ અને અમદાવાદમાં સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. 40 દિવસના લોકડાઉન છતાં દેશમાં આ પરિસ્થતી છે ત્યારે કોરોના સામે લડવા માટે સરકારે વધુ આક્રમક રણનીતિ સાથે કામ કરવું પડશે.