દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો સતત વધી રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 32 લાખની નજીક પહોંચી છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતાં આ આંક જલ્દી જ 32 લાખ સુધી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60 હજાર 975 નવા કેસ આવ્યા છે. આ સાથે જ 848 લોકોના જીવ ગયા છે. નવા કેસ સામે આવ્યા બાદ હવે કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 31 લાખ 67 હજાર 323 થઈ છે.
દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
24 કલાકમાં કોરોનાના 60 હજાર 975 નવા કેસ આવ્યા
દેશમાં 24 કલાકમાં 848 લોકોના જીવ ગયા
સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં અત્યારે 7 લાખ 4 હજાર 348 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે 58390 દર્દીઓના જીવ ગયા છે. રાહતની વાત એ છે કે અત્યારસુધીમાં 24 લાખ 4 હજાર 585 લોકો રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત થયું છે. અહીં કોરોનાના દર્દીની સંખ્યા 7 લાખને પાર પહોંચવા આવી છે.
भारत में पिछले 24 घंटों में #COVID19 के 60,975 नए मामले सामने आए हैं और 848 मौतें हुई हैं। देश में पॉजिटिव मामलों की कुल संख्या 31,67,324 हो गई है, जिसमें 7,04,348 सक्रिय मामले, 24,04,585 ठीक / डिस्चार्ज / माइग्रेट और 58,390 मौतें शामिल हैं: स्वास्थ्य मंत्रालय pic.twitter.com/nkoJgLXQcP
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 11015 નવા કેસ આવ્યા છે. સાથે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીની સંખ્યા 7 લાખની આસપાસ એટલે કે 6,93,398 પહોંચી છે. મહારાષ્ટ્રમાં જલ્દી જ કોરોનાનો આંક 7 લાખને પાર કરશે. સ્વાસ્થ્ય વિભાગના અનુસાર અહીં 24 કલાકમાં 212 દર્દીના મોત થયા છે અને 22465 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગુજરાતમાં આવ્યા 1067 નવા કેસ
ગુજરાતમાં સોમવારે કોરોનાના 1067 નવા કેસ આવ્યા છે અને કુલ દર્દીની સંખ્યા 87,846 પહોંચી છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર આ સમયે 13 દર્દીના મોત થયા છે અને 2910 સુધી મૃત્યુઆંક પહોચ્યો છે. અહીં 1021 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 70,250 લોકોએ મહામારીને માત આપી છે.
कल(24 अगस्त) तक कोरोना वायरस के लिए कुल 3,68,27,520 सैंपल टेस्ट किए गए, जिनमें से 9,25,383 सैंपल कल टेस्ट किए गए: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19pic.twitter.com/B3sh1YVA5H
કર્ણાટકમાં સોમવારે 5851 નવા કેસ આવ્યા છે અને સંક્રમિતોની સંખ્યા 2,83,665 પહોંચી છે. અહીં એક દિવસમાં 130 લોકોના મોત થયા છે. રાજ્યમાં 4810 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર અત્યારસુધીમાં 1,97,625 લોકો સાજા થયા છે. જ્યારે 81211 લોકો સારવાર લઈ રહ્યા છે. 768 દર્દીની સ્થિતિ ગંભીર છે.
સિક્કિમમાં 43 લોકો કોરોનાથી સંક્રમિત
અહીં સોમવારે એક જ દિવસમાં 43 નવા કેસ આવ્યા છે. આ સાથે દર્દીની કુલ સંખ્યા 1446 થઈ છે. 43માંથી 42 કેસ પૂર્વ સિક્કિમમાં આવ્યા છે જ્યારે પશ્ચિમમાં એક વ્યક્તિ સંક્રમિત થયો છે.