અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ મંગળવારે કહ્યું કે કોવિડ 19નો ગ્રાફ અત્યાર સુધીમાં તુલનાત્મક રીતે ફ્લેટ બન્યો છે પરંતુ સતત સમાન ઝડપથી કેસમાં થઇ રહેલો વધારો ચિંતાનો વિષય છે.
એમ્સ ડાયરેક્ટરે કહ્યું કોવિડ 19નો ગ્રાફ તુલનાત્મક રીતે ફ્લેટ પરંતુ સમાન ઝડપથી કેસમાં વધારો ચિંતાનો વિષય
આપણે જાગૃત રહેવા અને હૉટસ્પોટ એરિયામાં કેસની સંખ્યા ઘટાડવાની કોશિશ કરવાની જરૂર
રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે અલગ-અલગ મોડેલિંગ વિશેષજ્ઞોનું અનુમાન છે કે કોરોના વાયરસના કેસની સંખ્યાનું અંતિમ બિન્દુ આવનારા ચારથી છ સપ્તાહ એટલે કે મેના અંત સુધીમાં અથવા તો જુન મહીનાના મધ્ય સુધી હોઇ શકે છે. એવામાં આપણે જાગૃત રહેવા અને હૉટસ્પોટ એરિયામાં કેસની સંખ્યા ઘટાડવાની કોશિશ કરવાની જરૂર છે.
તેઓએ સાથે જ કહ્યું કે દેશમાં ઠંડીની ઋતુમાં એકવાર ફરી કોરોના વાયરસના કેસ વધી શકે છે પરંતુ આ તો સમય જ બતાવશે. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સ્પેનિશ ફ્લૂની સાથે ભારતના અનુભવને યાદ કરતા તેઓએ કહ્યું કે એ સમયે 70 લાખમાંથી મોટાભાગની બીજા રાઉન્ડમાં થઇ હતી. તેઓએ ભાર આપતા કહ્યું કે આ સમય આરામ કરવાનો નથી.
તેઓએ કહ્યું કે લૉકડાઉનના આર્થિક પ્રભાવને ઓછો કરવા માટે વર્ગીકરણ રણનીતિ ખુબજ નાના સ્તરે થવી જોઇએ. જેમા આખા જિલ્લાને રેડ ઝોન જાહેર કરવાની જગ્યાએ સ્થાનીય હૉટસ્પોટ વિસ્તાર પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે. એમ્સના ડાયરેક્ટની આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ઘણા રાજ્યોમાં સરકાર ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર પ્રતિબંધોમાં છૂટ આપી રહી છે અને દારુની દુકાન ખોલવાની મંજૂરી આપી રહી છે.
એમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યું કે આ ગ્રાફ લૉકડાઉન (Lockdown) અને અન્ય પ્રતિબંધના ઉપાયોથી અપેક્ષા પ્રમાણે ફ્લેટ (સમતલ) રહ્યો છે. અને તેણે આપણાને દેશમાં સ્વાસ્થ્યની પાયાનું સ્ટ્રક્ચર અને પરીક્ષણ સુવિધાઓ વધારવા માટેનો સમય આપ્યો છે.
તેઓએ કહ્યું કે કોરોના વાયરસના કેસની સંખ્યા સ્થિર દરે સતત વધી રહી છે, જે ચિંતાનો વિષય છે. દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી પડશે અને લૉકડાઉનના સિદ્ધાંતો અને એકબીજાથી અંતર બનાવી રાખવાના નિયમનું ઇમાનદારીથી પાલન કરવું જોઇએ, ખાસ કરીને જ્યારે તે હૉટસ્પોટ અને પ્રતિબંધિત હોય.
તેઓએ એ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવા પર જોર આપ્યું છે જ્યાં કોરોના વાયરસના કેસ વધારે છે જેથી ત્યાંથી કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારે સવારે ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 1694 થઇ ગઇ છે અને દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 49,391 થયા.