બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 14 ફેબ્રુઆરીથી રાજ્યમાં તમામ પ્રકારના કોરોના પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી છે.
દેશને હવે કોરોના પ્રતિબંધો મુક્ત કરવાની પહેલ
બિહારમાં 14 ફેબ્રુઆરીથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી લેવાશે
લોકો પહેલાની જેમ કામકાજ કરી શકશે
સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી છે ત્યારે હવે રાજ્ય સરકારોએ કોરોનાના તમામ પ્રતિબંધો હટાવવાનું શરુ કર્યું છે. આ દિશામાં બિહાર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સીએમ નીતિશ કુમારે એવી જાહેરાત કરી કે 14 ફેબ્રુઆરીથી રાજ્યમાં તમામ પ્રકારના કોરોના પ્રતિબંધો હટી જશે. કોવિડ અનુરુપ વ્યવહારની સાથે તમામ પ્રકારની ગતિવિધિઓ કરી શકાશે. કોઈ પણ જાતનો પ્રતિબંધ નહીં રહેશે. તેમણે લોકોને તમામ પ્રકારની સાવધાની રાખવાની ખાસ સલાહ આપી.
Bihar CM Nitish Kumar lifts all #COVID19 restrictions in the state
"From February 14 all kind of covid19 restrictions will be lifted till the further orders," the statement reads
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યમાં તમામ કોવિડ19 પ્રતિબંધો હટાવી લીધા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કોવિડ 19 ના તમામ પ્રતિબંધો 14 ફેબ્રુઆરીથી આગામી આદેશ સુધી હટાવવામાં આવી રહ્યા છે.
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખજો
સીએમ નીતિશ કુમારે કહ્યું, કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિની આજે સમીક્ષા કરવામાં આવી. કોરોના સંક્રમણમાં સતત થઈ રહેલા ઘટાડાને જોતા 14 ફેબ્રુઆરીથી આગળના આદેશ સુધી તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, "હવે કોવિડ-મૈત્રીપૂર્ણ વર્તન અને નિર્ધારિત માનક સંચાલન પ્રક્રિયાના પાલન સાથે, તમામ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે હાથ ધરવામાં આવશે. જિલ્લા અધિકારીઓને સ્થાનિક સંજોગોને ધ્યાનમાં રાખીને જ્યારે જરૂર પડે ત્યારે નિયંત્રણો લાદવાની સત્તા આપવામાં આવી છે. "લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સામાજિક અંતરની સાથે તેમના ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખે અને માસ્કનો ઉપયોગ કરે.