ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કોરોનાની માહામારીને કારણે 29 માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને 15 એપ્રિલ સુધી ટાળી દીધી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની 3 મેચની વનડે સીરિઝ પણ કેન્સલ કરી દેવામાં આવી છે.
સુનીલ ગવાસ્કરે IPL ને ટાળવાની વાતને લઇને BCCI સાથે સહમત છે. તેમણે કહ્યુ કે, ''નિર્ણય લેવો આવશ્યક હતો. સૌના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ જોઇએ. BCCI એ જે નિર્ણય કર્યો છે, તે માત્ર ભારતીયોની જ હિતમાં નથી પરંતુ તેનાથી ક્રિકેટની દુનિયાથી જોડાયેલા લોકોનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. IPL માં બીજા દેશોના ખિલાડીઓ સિવાય એમ્પાયર, ટેક્નિશયન અને કેમેરામેન આવે છે.''
સુનીલ ગવાસ્કરે કહ્યુ કે, ''IPL દરમિયાન સ્ટેડિયમમાં 30000-40000 લોકો આવે છે. આ સિવાય સ્ટેડિયમની બહાર અને હોટલોની લૉબીમાં પણ ફેન્સ આવે છે. લોકો આવી રીતે આવશે તો કોરોના વાયરસને સંક્રમણનો ભય વધી જાય તે કોઇ શંકા નથી. હાલમાં આ બધા જ મહત્વપૂર્ણ છે કે જિંદગીઓ બચવી જોઇએ. સંક્રમણ ના થાય તેનું ધ્યાન રાખવુ જોઇએ. આ માટે તમામ ટૂર્નામેન્ટને રદ્દ કરવુ પડે તે જરૂરી હતુ.''
આ સિવાય જ્યારે ખાલી સ્ટેડિયમમાં મેચ રમાવવા પર વાત કરતા સુનીલ ગવાસ્કરે કહ્યુ કે, ''કોઇ પરફોર્મર હો, કે મ્યૂઝિશિયન, આર્ટિસ્ટ હોય કે પછી એક્ટર જે પણ હોય, કોઇ ઓડિયન્સ વગર કેવી રીતે પરફોર્મ કરી શકે છે.. ? કુલ મળીને આ સ્થિતિમાં રદ્દ કરવુ જરૂરી છે અને BCCI નો નિર્ણય સારો છે.''
આ સિવાય તેમણે કહ્યુ કે, લોકો હંમેશા કહે છે કે, ''BCCI હંમેશા પૈસાની પાછળ ભાગે છે, પરંતુ આ જુઓ BCCI એ ભારતનું ધ્યાન રાખ્યુ.'