દેશમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે ત્યારે હવે પશ્ચિમ બંગાળમાં તમામ શનિવારે બેંકો બંધ રાખવામાં આવશે. અહીંની સરકારે સોમવારે એક આદેશમાં જણાવ્યું છે કે રાજ્યમાં બેંક કર્મીઓને કોરોનાના સંક્રમણથી રક્ષણ આપવા આ પગલું લેવાયું છે. અત્યારે બેંક દરેક રવિવાર અને બીજી તથા ચોથા શનિવારે બંધ રહે છે. પરંતુ નવી સૂચના અનુસાર બેંકની દરેક શાખાઓ હવેથી તમામ શનિવારે રજા રાખશે.
પશ્ચિમ બંગાળમાં લેવાયો મોટો નિર્ણય
હવેથી બેંકમાં ફક્ત 5 દિવસ થશે કામ
તમામ શનિવારે પણ બેંકો રહેશે બંધ
તરત જ લાગૂ કરાશે આદેશ
અધિસૂચનામાં કહેવાયું છે કે આ આદેશ તાત્કાલિક પ્રભાવથી અમલમાં લાવવામાં આવશે અને નવો આદેશ નહીં આવે ત્યાં સુધી કાયમ રહેશે. અખિલ ભારતીય બેંક અધિકારી પરિસંઘના રાજ્ય સચિવે કહ્યું કે સાર્વત્રિક ક્ષેત્ર અને ખાનગી બેંકોના 2000થી વધુ કર્મચારીઓ રાજ્યમાં સંક્રમિત થઈ ચૂક્યા છે. માટે આ નિર્ણય લેવાયો છે.
સંક્રમિતોની સંખ્યા 40 હજારથી વધુ
પશ્ચિમ બંગાળમાં સંક્રમિતોની સંખ્યા વધીને 40000ને પાર થઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શનિવારે જાહેર કરાયેલા બુલેટિનમાં કહેવાયું કે રાજ્યમાં સંક્રમણના કારણે 27 લોકોના મોત થયા છે. જેનાથી રાજ્યમાં મૃતકોની સંખ્યા 1076 પહોંચી છે.
અઠવાડિયામાં 2 દિવસ રહેશે બેંકના તમામ કામ બંધ
પશ્ચિમ બંગાળમાં ગુરુવારે અને શનિવારે પૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે. રાજ્યમાં હવેથી દર અઠવાડિયે 2 દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ સમયે પણ દરેક સરકારી અને ખાનગી કાર્યાલયો બિન આવશ્યક સમારોહ, પરિવહન, બદાર અને ઔદ્યોગિક અવર જવર પર પ્રતિબંધ રહેશે.