હાલમાં જ આઈસલેન્ડથી એક સારા સમાચાર કોરોનાને લઈને આવી રહ્યા છે. અહીં 30 હજાર નાગરિકો પર ટ્રાયલ કરાયું હતું જેના પરિણામો જણાવે છે કે એક વાર કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ બનનારી એન્ટીબોડીઝ લોકોને ઓછામાં ઓછા 4 મહિના સુધી ઈમ્યુનિટી પૂરી પાડી શકે છે.
આઈસલેન્ડથી આવ્યા સારા સમાચાર
એન્ટીબોડીઝ 4 મહિના સુધી દર્દીને બચાવશે કોરોનાથી
એન્ટીબોડીઝ 4 મહિના સુધી ઈમ્યુનિટી પૂરી પાડશે
આ પહેલી એવી શોધ છે જેમાં લાંબા સમય સુધી ઈમ્યુનિટી કાયમ રહેવાનો દાવો કરાયો છે. આઈસલેન્ડની એક બાયોટેક કંપની ડીકોડ જેનેટિક્સે કહ્યું છે કે સ્ટડીના પરિણામ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં સામે આવ્યા છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર અત્યાર સુધી દુનિયાભરમાં કોરોનાના 2 કરોડ 58 લાખથી વધારે લોકોના મોત થયા છે.
અમેરિકાનું કહેવું છે કે કોરોના વેક્સીન શોધ કોઈ પણ આંતરરાષ્ટ્રિય પહેલામાં સામેલ નહીં થાય કેમકે તેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ સામેલ છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 38 લાખ સુધી પહોંચ્યા છે. અહીં 54 ટકા કોરોના કેસ 18-44 વર્ષના લોકોમાં મળ્યા છે. જ્યારે મૃત્યુ પામનારમાં 51 ટકા 60 વર્ષથી વધારે ઉંમરના લોકો છે.
દક્ષિણ કોરિયામાં કોરોનાના કારણે ગંભીર રીતે બીમાર થયેલા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના દર્દીઓની ઉંમર 60 વર્ષથી વધુ છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે કોરોના મહામારીએ દશકોછી ચાલી રહેલી પુરુષો અને મહિલાઓની આવકને દૂર કરવાની કોશિશ પર પાણી ફેરવ્યું છે.