કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા કંપની સાથેનાં ઈન્ટરવ્યૂમાં સ્વસ્થ અને યુવાનોમાં પણ વધી રહેલા હાર્ટઅટેકનાં કેસ અંગે વાત કરી. તેમણે કહ્યું કે સરકારે યુવાનોમાં વધી રહેલા હાર્ટઅટેક અને કોરોનાનાં કેસ વચ્ચેનાં સંબંધ અંગે જાણવા સંશોધન કર્યુ છે.'
તેમણે જણાવ્યું કે, ICMR દ્વારા આ સંશોધ કરવામાં આવી રહ્યું છે જેનાં પરિણામો એક-બે મહિનામાં સામે આવે તેની શક્યતા છે.
આ લક્ષણો દેખાય તો ચેતી જજો!
હૃદયની બીમારીઓ એને તેનાથી થનારી મોતની ઘટનાઓ દરેકને ભયભીત કરે છે. સૌથી ખતરનાક વાત એ છે કે, હાર્ટ એટેકની અનેક ઘટનાઓમાં જીવ ગુમાવનારા યુવા અને સ્વસ્થ્ય વ્યક્તિ હતા. હાર્ટ એટેકને રોકવા માટે સૌથી જરુરી છે કે આપણને ખબર હોવી જોઇએ કે હૃદયની ધમનીઓમાં કોઇ બ્લોકેજ તો નથી ને? હૃદયની ધમનીઓ(કોરોનરી આર્ટરી) તમારા શરીરની મુખ્ય લોહી જતી નસો છે જે તમારા હૃદય સુધી લોહીને પહોંચાડે છે. જો તેમાં કઇ પણ ગરબડ હોય કે તેમાં કોઇ કારણે બ્લોકેજ આવે છે તો તે હાર્ટ એટેકના અનેક ચેતવણી સંકેત આપે છે.
આ છે ચેતવણી સંકેત
હૃદયની નસો બ્લોક થઈ જાય ત્યારે તમને છાતીમાં ભારેપણું આવી શકે છે. થોડો પ્રયત્ન કર્યા પછી પણ તમે હાંફવા લાગો છો અથવા તમને છાતીમાં દુખાવો, ગૂંગળામણ, બેચેની અને અસ્વસ્થતાનો અનુભવ થાય છે, તો આ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. થાક, શ્વાસ લેવામાં તકલીફ, અચાનક ઝડપી ધબકારા એ પણ હાર્ટ એટેકના સંકેતો છે જે તમારી ધમનીઓ તમને આપી રહી છે. આ સિવાય હ્રદયરોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓમાં છાતીમાં દુખાવો કે દબાણ આવવું હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.
ગુજરાતમાં પણ યુવકોનું આ કારણે થઈ રહ્યું છે મોત
આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બિમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. સામાન્ય રીતે જ બેસેલા કે કંઈક રમત રમતા હાર્ટ એટેક આવી જાય છે.મોરબીના હળવદમાં હાર્ટ એટેકથી ચકચારી મોતની ઘટના બની છે.હળવદના વેગડવાવ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત થયું છે. ચિંતા એ વાતની છે કે, બાઇક પર બેઠેલા યુવાનને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યું થયું હતું. અશ્વિનભાઈ વિભાભાઈ રબારીને હાર્ટ એટેક આવ્યો હતો અને તે ખાનગી કંપનીમાં નોકરી યુવાન કરતો હતો. રબારી સમાજમાં શોકનો માહોલ છવાયો છે. આપને જણાવી દઈએ કે, ગત તા.22 માર્ચનાં રોજ બનાવ બન્યો હતો.
સૈનિકને આવ્યો હાર્ટઅટેક
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સાવડા ગામના વતની અને પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા ગિરીશભાઈ સોમાભાઈ રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેના દુઃખદ સમાચાર મળતા જ આખું સાવડા ગામ શોકમગ્ન થયું હતું.