કોરોના સંક્રમણને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ICMRના ડિરેક્ટરે વધુ એક ચેતવણી આપી છે. કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા બાદ શરીરમાં તેની વિરુદ્ધ એન્ટીબોડીઝ બનવા લાગે છે. પરંતુ એક સમય પછી એન્ટીબોડીઝમાં ઘટાડો થવા લાગે છે. ફરીથી કોરોનાનું સંકટ આવી શકે છે. ફરી સંક્રમણ ન થવાની વાત ખોટીછે.
ફરી સંક્રમણ ન થવાની વાત ખોટીછે
એક સમય પછી એન્ટીબોડીઝમાં ઘટાડો થવા લાગે છે
એન્ટીબોડીઝ ખતમ થયા પછી કોરોનાનો ચેપ ફરી લાગી શકે છે
ICMRના ડિરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે કોરોના સંક્રમણ નવું છે. ત્યારે સતત અધ્યયન થઈ રહ્યા છે અને રિપોર્ટ સામે આવી રહ્યા છે. ભાર્ગવે જણાવ્યું કે અત્યાર સુધીમાં અનેક મેડિકલ રિસર્ચ સામે આવ્યા છે. જેમાં એન્ટીબોડીઝના શરીરમાં રહેવાના સમય અલગ અલગ જણાવવામાં આવ્યા છે. કોઈએ 3 મહિના તો કોઈએ 5 મહિના શરીરમાં એન્ટીબોડીઝ રહેવાની જાણકારી આપી છે. અધ્યયન હજું પણ ચાલું છે. પણ એન્ટીબોડીઝ ખતમ થયા પછી કોરોનાનો ચેપ ફરી લાગી શકે છે.
યુરોપ, ચીન, અમેરિકા અને રશિયા સહિતના દેશોના વૈજ્ઞાનિકો અલગ અલગ અધ્યયનમાં કોરોના વાયરસની વિરુદ્ધમાં બનનારી એન્ટીબોડીનો સમય શોદ્યો છે. પુણે સ્થિત એનઆઈવીના વૈજ્ઞાનિક આના પર અધ્યયન કરી રહ્યા છે. જેનું પરિણામ ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. ત્યારે ફરી સંક્રમણના કેટલાક કેસ સામે આવ્યા છે. એ બાદ સરકારે તેમને સતર્ક રહેવાની વાત કરી છે જે લોકો કોરોનામાંથી સાજા થયા છે.