કોરોના વેક્સિનની અસરકારતાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ICMRએ દાવો કર્યો છે કે દુનિયાભરમાં કોરોના સંક્રમણ ફેલાવવાના સંકેત મળી રહ્યા છે, કોરોનાની વેક્સીનને કારગર સાબિત કરવા માટે શરીરમાં પ્રતિરક્ષા તંત્રના લાંબા સમય સુધી બની રહેવાને લઈને પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. જેને કારણે દાવો કરાયો છે કે કોરોના વેક્સીન 100 ટકા અસરકારક નહીં બની શકે.
ICMRના ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરાયો દાવો
વિશેષજ્ઞોના મતે વેક્સિન 100 ટકા અસરકારક નહીં
વેક્સિન ત્યારે જ રક્ષણ કરશે જ્યારે શરીરમાં એન્ટીબોડી હશે
ICMRના એક રિપોર્ટમાં કહેવાયું છે કે લક્ષણો વિનાના સંક્રમિતો, કોરોના વાયરસ સંક્રમણને ફેલાવવામાં સંભાવિત ભૂમિકાને લઈને કેટલાક ખાસ પરિણામ મળ્યા બાદ માસ્કના ઉપયોગને કાયમ રાખવાનું અને અન્ય ઉપાયોની અજમાવવાનું વિચારી રહ્યા છે. WHO અને ICMRએ મળીને આ અંગે મંતવ્યો આપ્યા છે.
નવા અધ્યયનથી ખ્યાલ આવે છે કે કોરોના સંક્રમણ ફરીથી થઈ શકે છે
કહેવાયું છે કે કોરોના મહામારીના પ્રારંભિક ચરણમાં કોરોના સંક્રમણ કોઈને ફરીથી નહીં થાય, નવા રિપોર્ટથી ખ્યાલ આવે છે કે ફરીથી સંક્રમણ થઈ શકે છે. વાયરસ ફરીથી સક્રિય થયા બાદ ફરીથી સંક્રમણ અને મહામારીના મહત્વની પુષ્ટિ થઈ છે.
સીરો સર્વેના આંકડાને લઈને પણ થયું છે અધ્યયન
સીરોની હાજરીની મદદથી સંક્રમણ અને પ્રતિરક્ષા માટે તપાસ કરાઈ છે. તેના આંકડાને લઈને કેટલાક અધ્યયન થયા છે તેના ખાસ પરિણામો સામે આવ્યા નથી. હાલમાં જેનેવા, સ્વિત્ઝરલેન્ડના ખાસ આબાદી મહામારીની લહેરમાં તે સંક્રમિત થી નથી, કોરોના સંક્રમણથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. લાંબા સમય સુધી પ્રતિરક્ષા તંત્રના હાજર ન રહેવાથી વેક્સીન સિદ્ધ થવા પર પણ અસર થઈ શકે છે. વેક્સીનની અસર ત્યારે ખબર પડશે જ્યારે તેને અલગ અલગ આબાદી પર ઉપયોગમાં લેવાશે. મહામારીને રોકવા માટે આખરી ઉપાય માનવામાં આવે છે. વૈશ્વિક સ્તરે પણ તેના પ્રયાસ થઈ રહ્યા છે.