કોરોના કાળમાં મનરેગા પ્રવાસી શ્રમિકો માટે વરદાનરૂપ સાબિત થયું છે. ચાલુ નાણાંકીય વર્ષના 5 મહિનામાં આ યોજનાના આધારે 83 લાખથી વધારે નવા પરિવારોને નોકરી કાર્ડ જાહેર કરાયા છે.
શ્રમિકો માટે મનરેગા વરદાનરૂપ સાબિત થયું
5 મહિનામાં 83 લાખથી વધારેને મળી નોકરી
નવા પરિવારોને નોકરી કાર્ડ જાહેર કરાયા
કોરોના સંકટના કારણે દેશની અર્થવ્યવસ્થા બર્બાદ થઈ છે. તેના આધારે બેરોજગારી ઝડપથી વધી રહી છે. કોરોના કાળમાં મનરેગા પ્રવાસી શ્રમિકો માટે વરદાન રૂપ સાબિત થયું છે. ચાલુ નાણાંકીય વર્ષમામં આ યોજનાના આધારે 83 લાખથી વધારે પરિવારોને જોબ કાર્ડ અપાયું છે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી 3 સપ્ટેમ્બરની વચ્ચે જે સંખ્યા સામે આાવી છે તે છેલ્લા 7 વર્ષના વાર્ષિક વૃદ્ધિથી વધારે છે.
સૌથી વધુ યૂપીના શ્રમિકોએ લીધો લાભ
વર્ષ 2019-20ના વર્ષમાં 64.70 લાખ નવા જોબ કાર્ડ જાહેર કરાયા હતા. તેમાંથી 28.32 ટકાનો વધારો જોવા મળ્યો છે. નવા જોબ કાર્ડમાં હવે કોરોનાના કારણે દેશમાં લાગેલા લોકડાઉનને લઈને પ્રવાસી શ્રમિકો મોટી સંખ્યામાં વતન પરત ફર્યા છે. 83.20 લાખ નવા જોબ કાર્ડમાં સૌથી વધુ એટલે કે 21.09 ઉત્તરપ્રદેશના, બિહારમાં 11.22 લાખ અને પશ્ચિમ બંગાળમાં 6.82 લાખ, રાજસ્થાનમાં 6.58 લાખ અને મધ્યપ્રદેશમાં 5.56 લાખ લોકો સામેલ થયા છે. તેમાં મોટી સંખ્યામાં ગામમાં પરત ફરેલા શ્રમિકોનો સમાવેશ થાય છે.
મનરેગાના નિયમો અનુસાર મળશે નોકરી
મનરેગાના આધારે દરેક ગ્રામીણ પરિવાર એક જોબ કાર્ડનો હકદાર હોય છે. જેમાં ઘરના દરેક સભ્યોના નામ અને ફોટો હોય છે જે કામ કરી શકે છે. મનરેગાના નિયમો અનુસાર જો કોઈ ઘરના લોકો સ્થાયી રીતે શહેરી વિસ્તારોમાં ગયા છે અ્ને કોઈ ગ્રામ પંચાયતમાં ગયા છે તો તેનું જોબ કાર્ડ રદ થઈ શકે છે. એવી સ્થિતિમાં જોબ કાર્ડ ડુપ્લીકેટ ગણાશે અને ખોટા દસ્તાવેજના આઘારે પંજીકૃત સમજી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ નાણાંકીય વર્ષમાં અત્યારસુધીમાં 10.93 લાખ મનરેગા જોબ કાર્ડ રદ્દ કરાયા છે. જ્યારે વર્ષ 2019-20માં 13.97 લાખ કાર્ડ રદ્દ થયા છે.