દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને છેલ્લાં 2 દિવસથી દેશમાં 3 લાખથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. આ દરમ્યાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મહામારીની બીજી અને ત્રીજી લહેરની વચ્ચે તુલના કરતી વખતે 5 સૌથી સામાન્ય લક્ષણો ગણાવ્યાં છે, જે કોવિડ-19ના ઓમક્રોન વેરિએન્ટ સાથે જોડાયેલા છે.
છેલ્લાં 2 દિવસથી દેશમાં 3 લાખથી વધુ કેસો સામે આવ્યાં
બાળકો અને પુખ્ત વયના લોકોમાં અલગ-અલગ છે ઓમિક્રોનના લક્ષણો
પુખ્ત વયના લોકોમાં બિમારીના 5 સામાન્ય લક્ષણો
પુખ્ત વયના લોકોમાં કોવિડ-19ના સામાન્ય લક્ષણ
સ્વાસ્થ્ય સેક્રેટરી રાજેશ ભૂષણે સ્વાસ્થ્ય મંત્રાલયની અઠવાડિક બ્રીફિંગ દરમ્યાન કહ્યું કે આ અભ્યાસ દિલ્હીમાં કરવામાં આવ્યો છે. પરંતુ આ ત્રીજી લહેરમાં કોવિડ-19ના સૌથી સામાન્ય લક્ષણો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, પુખ્ત વયના લોકોમાં બિમારીના 5 સામાન્ય લક્ષણો ધ્રુજારીની સાથે અથવા તેના વગર તાવ આવવો, કફ-ઉધરસ, ગળામાં બળતરા, સ્નાયુઓમાં નબળાઈ અને થાક છે. મંત્રાલયના આંકડા મુજબ, દિલ્હીમાં લગભગ 99 ટકા દર્દીઓએ આ લક્ષણોની ફરિયાદ કરી અને તાવ, ઉધરસ અને ગળામાં બળતરા સામાન્ય રીતે 5 દિવસ બાદ ઘટી જાય છે.
ત્રીજી લહેર દરમ્યાન બાળકોમાં સામાન્ય લક્ષણ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 11 થી 18 વર્ષના બાળકોમાં ત્રીજી લહેર દરમ્યાન રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની સાથે તાવ કોવિડ-19ના સામાન્ય લક્ષણો છે. સ્વાસ્થ્ય સેક્રેટરીએ કહ્યું કે આ વખતે બાળકોમાં કોવિડ નિમોનિયાની ફરિયાદ ઓછી છે.
ઓમિક્રોન વેરિએન્ટના સૌથી મોટા લક્ષણો
ઓમિક્રોન વેરિએન્ટની ઓળખ પહેલી વખત 24 નવેમ્બર 2021ના રોજ દક્ષિણ આફ્રિકામાં થઇ હતી અને ત્યારબાદ ડૉકટર ડેલ્ટા અથવા કોઈ અન્ય વેરિએન્ટની તુલનામાં ઓમિક્રોનના લક્ષણોને બતાવી રહ્યાં છે. જાણવા મળ્યું છે કે કોવિડ-19નો ઓમિક્રોન વેરિએન્ટ, ડેલ્ટાની સરખામણીમાં હલ્કો છે. ડોકટરોએ નોંધ્યું છે કે મોટાભાગના સંક્રમિત દર્દીઓમાં શરદી જેવા લક્ષણો વિકસિત થાય છે અને પોતાની જાતે સાજા થઇ જાય છે. ગળામાં ખરાશ સિવાય ઓમિક્રોનના કેટલાંક અન્ય લક્ષણોમાં થાક, તાવ, શરીરમાં દુ:ખાવો, રાત્રે પરસેવો, છીંક આવવી, નાકમાંથી પાણી આવવુ, ઉબકા અને ભૂખ ના લાગવી સામેલ છે. ડેલ્ટા વેરિએન્ટથી વિપરીત, ઓમિક્રોનથી ગંધ અને સ્વાદ ના આવવાની શક્યતા ઓછી થાય છે.