આજે WHO ની બેઠકમાં નિર્ણય લેવાશે કે ભારતની વેક્સિનને આંતરરાષ્ટ્રીય મંજૂરી મળશે કે નહીં?
કોરોના પેન્ડેમિકને રોકવા માટે ભારતની પ્રથમ સ્વદેશી રસી Covaxin ને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂરી મળી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની આજે મળનારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવી શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાની આજે મળનારી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે
ગયા અઠવાડિયે, WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે 26 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં હૈદરાબાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીને વિશ્વ-સ્તરીય ઇમરજન્સી ઉપયોગની સૂચિમાં સામેલ કરવા પર નિર્ણય લેવામાં આવશે.
ઇમરજન્સી ઉપયોગની સૂચિમાં સામેલ
WHOએ કહ્યું છે કે ભારત બાયોટેકે કોવેક્સિન સંબંધિત તમામ દસ્તાવેજો આપ્યા છે, જેની સમીક્ષા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મંગળવારે મળનારી બેઠકમાં, સમિતિના નિષ્ણાતો તેમના અભિપ્રાય આપશે, ઉપરાંત રસીની અસર, સલામતી અને એન્ટિબોડીઝનું સ્તર વગેરેની તપાસ કરશે, જેના આધારે કોવેક્સિનને આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી ઉપયોગની સૂચિમાં સામેલ કરી શકાય છે.
Covaxin હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂર થયેલ નથી, જેના કારણે Covaxin સપ્લિમેન્ટ્સ વિદેશ પ્રવાસ માટે લાયક નથી. મોટાભાગના દેશોમાં, ફક્ત તે જ લોકોને પ્રવેશ આપવામાં આવે છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે WHO સૂચિમાં સમાવિષ્ટ રસીની માત્રા પ્રાપ્ત કરી હોય.
એક તરફ who નાં ચિફે જ કહ્યું હતું કે મહામારી પૂરી નથી થઈ ગઈ
આ મહામારી ત્યારે ખતમ થશે જ્યારે દુનિયા તેને ખતમ કરવા ઈચ્છશે- WHO ચીફ
કોરોના વાયરસનો કેર ભલે થોડો ઓછો થયો હોય પણ ખતમ નથી થયો. ડબ્લ્યૂએચઓના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ઘેબરિયસે એકવાર ફરી દુનિયાને ચેતવી છે કે કોરોના ખતમ નથી થયો અને દુનિયાને પહોંચી વળવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપકરણોને અસરકારીક રીતે ઉપયોગ કરવાની જરુર છે. ડબ્લ્યૂએચઓના પ્રમુખે જણાવ્યું કે આ મહામારી ત્યારે ખતમ થશે જ્યારે દુનિયા તેને ખતમ કરવા ઈચ્છશે.
પ્રમુખે દુનિયાભરના દેશોને રસીકરણની સ્પીડ વધારવાની અપીલ કરી
વિશ્વ નિકાયના પ્રમુખે જી-20 દેશોને પણ આગ્રહ કર્યો છે કે તે પોતાની 40 ટકા વસ્તીને કોવૈક્સ તંત્ર અને આફ્રીકન રસી અધિગ્રહણ ટ્રસ્ટમાં સક્રિય રુપથી સામેલ કરે. પ્રમુખે દુનિયાભરના દેશોને રસીકરણની સ્પીડ વધારવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા ડબ્લ્યૂએચઓએ અનેક વાર દુનિયાને કોરોનાને લઈને ચેતવી છે.
ગઈકાલે 24 કલાકમાં 14,306 મામલા નોંધાયા, તો 443 મોત થયા
ગઈકાલે 24 કલાકમાં 14,306 મામલા સામે આવ્યા છે. ત્યારે કોરોનાથી થનારા મોતનો આંક 443 છે. રાહતની વાત એ છે કે જેટલા લોકોને દર રોજ સંક્રમિત થઈ રહ્યા છે. તેનાથી વધારે લોકો સાજા થઈ રહ્યા છે. 24 કલાકમાં કોરોનાથી 18, 762 લોકો સાજા થઈ ચૂક્યા છે. ત્યારે એક્ટિવ કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. દેશમાં 1, 67, 695 એક્ટિવ મામલા છે. જે ગત 239 દિવસમાં સૌથી ઓછા છે. મંત્રાલય મુજબ નવા મામલા બાદ દેશમાં હાલ 3 કરોડ 31 લાખ 89 હજાર 774 કોરોના કુલ મામલા થયા છે. જેમાંથી 3 કરોડ 45 લાખ 67 હજાર 367 લોકો સાજા થઈ ચૂક્યા છે. તો 4 લાખ 54 હજાર 712 લોકોના મોત થયા છે. નવા કેસ મળ્યા બાદ એક્ટિવ કેસમાં 4 હજાર 899નો ઘટાડો આવ્યો છે.
અત્યાર સુધી 102.27 કરોડ રસી લગાવાઈ ચૂકી છે
દેશમાં સતત કોરોનાની તપાસ માટે ટેસ્ટિંગ જારી છે. જે અંતર્ગત 60.07 કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે. ત્યારે લોકોને વાયરસથી સુરક્ષા આપવા માટે રસીકરણ અભિયાન ચાલુ છે ત્યારે ગત રોજ 12 લાખ 30 હજાર 720 ડોઝ અપાયા છે. કોવિન પોર્ટલ પરની જાણકારી મુજબ અત્યાર સુધીમાં 1 અરબ 2 કરોડ 30 લાખ 96 હજાર 452 ડોઝ અપાયા છે. જેમાંથી 71 કરોડ 80 લાખ 83 હજાર 978 ને પહેલો ડોઝ અને 30 કરોડ 50 લાખ 12 હજાર 474ને બીજો ડોઝ લાગ્યો છે.
દૈનિક પોઝિટિવિટી દર 1.43 ટકા
દેશમાં અઠવાડિક પોઝિટિવિટી રેટ પણ 3 ટકાથી ઓછો ચાલી રહ્યો છે. આ વર્તમાનમાં 1.24 ટકા છે અને દૈનિક પોઝિટિવિટી દર 1.43 ટકા છે.
બીજી તરફ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ગત અઠવાડિયામાં ચીનના 11 પ્રાતમાં કોરોના ફરી ફેલાયો છે. ચીનના મુખ્ય આરોગ્ય અધિકારીઓનું કહેવું છું કે, ડેલ્ટા વેરિયન્ટનો આ મામલો બહારથી આવ્ય છે. તો ચીનના કેટલાક મહામારી નિષ્ણાંતનું માનવું છે કે, તે 2020માં વુહાનમાં ફેલાયેલા સંક્રમણ કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
અનેક વિસ્તારો કરાયા બંધ
ચીનમાં સ્થાનિક સ્તરે અત્યાર સુધીમાં કોરોનાને નિયંત્રિત કરવામાં આવ્યો હતો પરંતુ સતત પાંચમાં દિવસે કોરોનાના નવા કેસમાં ઉછાળઓ નોંધાતા દેશમાં ચિંતા વધી છે અને સરકાર પણ આ મામલે ગંભીરતાથી એક્શનમાં આવીને તાબડતોબ આ તમામ વિસ્તારોમાં પ્રતિબંધ લાગૂ કર્યા છે.
લોકોને કામ વગર ઘર બહાર ન નીકળવાની કરાઈ અપીલ
જણાવી દઇએ કે, કોરોનાને મ્હાત આપવા માટે ચીનની સરકારે મોટા પાયે કોવિડ ટેસ્ટિંગ શરૂ કર્યું છે અને કેટલાક ટૂરીસ્ટ પ્લેસ પર પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય સ્કૂલો, મનોરંજન સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે. તો લોકોને પણ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરી છે.