દેશમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ મહામારીની વચ્ચે કોરોના વેક્સિનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દિલ્હી એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે દિલ્હી AIIMSમાં કોરોના રસીનું માનવીય પરિક્ષણ ત્રણ તબક્કામાં કરવામાં આવશે.
કોરોનાના વધતા કેસ વચ્ચે AIIMS ડોક્ટરે આપ્યા સારા સમાચાર
AIIMSમાં કોરોના રસીનું માનવીય પરિક્ષણ ત્રણ તબક્કામાં થશે
18 થી 55 વર્ષના કુલ 375 સ્વસ્થ વોલિન્ટિયર પર અભ્યાસ કરાશે શરૂ
જેમાંથી પ્રથમ તબક્કામાં 18 થી 55 વર્ષના કુલ 375 સ્વસ્થ વોલિન્ટિયર પર અભ્યાસ શરૂ કરાશે. જ્યારે બીજા તબક્કામાં 750 PPL રસીનું 12 થી 65 વર્ષની સ્વસ્થ વ્યક્તિઓ પર પરિક્ષણ કરવામાં આવશે. AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાના કહેવા મુજબ અત્યાર સુધી 1125 નમૂના લેવામાં આવ્યા છે અને દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું માનવીય પરિક્ષણ છે.
Certain areas have hit their peak. Delhi seems to have done so because the cases have declined significantly. Certain areas have yet to reach the peak. Cases are increasing in certain states. They will reach the peak a little later: AIIMS Director Randeep Guleria #COVID19https://t.co/VTwU3jIO9j
દક્ષિણ પૂર્વના દેશોમાં મૃત્યુદરનું પ્રમાણ ઘણું ઓછું
ગુલેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મોટી ઉંમરની વ્યક્તિઓ પર BCG સહિત અન્ય રસી દ્વારા પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ કઈ રસી વધારે અસરકારક છે તે કહેવું મુશ્કેલ છે અને જો આપણે ઇટાલી, સ્પેન અને અમેરિકાની વાત કરીએ તો આપણને ખબર જ છે કે ત્યાં શું થયું છે. જો કે માત્ર ભારત જ નહીં પરંતુ દક્ષિણ પૂર્વના દેશોમાં મૃત્યુદરનું પ્રમાણ ઘણું ઓછું છે.
વેક્સિનના ટ્રાયલ માટે હજારો લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
Phase 1 of vaccine trial will be done on healthy people aged 18-55 years who have no co-morbidity. A total of 1125 samples have been collected of which 375 will be studied in first phase&in second phase 750 ppl will be recruited between 12-65 years: Randeep Guleria,AIIMS Director pic.twitter.com/JMUAH7Gw8C
એઇમ્સમાં થનારા કોરોના વેક્સિનના હ્યુમન ટ્રાયલમાં સામેલ થવા માટે વોલંટિયર્સે તૈયારી બતાવી છે. એઇમ્સને કોરોનાની વેક્સિનના ટ્રાયલ માટે માત્ર 100 લોકોની જરૂર છે પરંતુ તેની સામે હજારો લોકોએ રજિસ્ટ્રેશન કરી દીધું છે. લોકોએ એઇમ્સમાં ફોન અને મેઇલ કરી સંપર્ક કર્યો છે. એથિક્સ કમિટીમાં ટ્રાયલની મંજૂરી મળ્યા બાદ હોસ્પિટલે હ્યુમન ટ્રાયલના વોલંટિયર્સ માટે અપીલ કરી હતી. જેમાં હજારોથી વધુ લોકોએ તૈયારી બતાવી છે.
ICMR અને બાયોટેક દ્વારા તૈયાર કરાઇ છે વેક્સિન
If you look at the data from Southeast Asia, not just India, the mortality rate is much lower than what happened in Italy & Spain or what is happening in the United States: AIIMS Director Randeep Guleria #COVID19pic.twitter.com/uGqrJKbnyT
આજે હ્યુમન ટ્રાયલને લઇ બેઠક પણ યોજાઇ રહી છે. જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરાશે. પહેલા વોલંટિયર્સનું એક લિસ્ટ તૈયાર કરાશે. બાદમાં એક એક કરી અને તમામને સેમ્પલ આપવા માટે બોલાવામાં આવશે. ત્યારે આ ટ્રાયલના પરિણામ આવવા પર સમય લાગી શકે છે. ICMR અને બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી આ વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે. જેના માટે 14 દિવસના અંતર રખાશે અને બાદમાં વેક્સિનના હ્યુમન ટ્રાયલનું પરિણામ આવશે.