એક કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપતા ડોક્ટર ફાઉચીએ જણાવ્યું કે ભારતમાં કોવેક્સિન લઈ રહેલા લોકોના ડેટાના એનાલિસસ પરથી જણાયું છે કે કોવેક્સિન કોરોનાના 617 સ્વરુપોની સામે કામ આવી શકે છે. વેક્સિન એ કારગર એન્ટીડોટ તરીકે કામ કરે છે.
કોવેક્સિન કોરોનાના 617 સ્વરુપોની સામે કામ આપી શકે છે
ડોક્ટર ફાઉચીએ જણાવ્યું કે આ કંઈક એવું છે કે જ્યાં આપણને રોજના આંકડા મળી રહ્યાં છે પરંતુ તાજેતરના આંકડામાં કોવિડ-19 ના દર્દીઓના લોહીના સિરમ અને જે લોકોને ભારતીય વેક્સિન કોવેક્સિન અપાઈ છે. આ વેક્સિન 617 સ્વરુપોને બેઅસર કરવામાં સફળ રહી છે.
કોરોનાની સામે બન્ને વેક્સિન છે પ્રભાવી
સાર્સ કોવ-2 ના બી.1.617 સ્વરુપ પર વેક્સિનના પ્રભાવના એનાલિસીસ પરથી જાણકારી મળી છે કે રસીકરણ બાદ સંક્રમણ થયા પછી બીમારીના લક્ષણ હળવા થાય છે. કોરોના વાયરસના બી.617 સ્વરુપ અથવા તો ડબલ મ્યુટેંટવાળું સ્વરુપ પણ કહી શકાય છે. અધ્યયનમાં વાયરસના આ સ્વરુપ પર ભારતમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલી બન્ને વેક્સિન કારગર છે.
રસીના 14.65 કરોડ ડોઝની ખપત થઈ ચૂકી છે
ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆતને લઈને અત્યાર સુધીમાં રસીના 14.65 કરોડ ડોઝની ખપત થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને અત્યાર સુધીમાં 15 કરોડથી વધારે (15.65 કરોડ) રસીના ડોઝ આપ્યા છે. જેમાં વેસ્ટ ગયેલા સહિત કુલ 14.64 કરોડ ડોઝની ખપત થઈ છે. એટલે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે અત્યારે પણ 1 કરોડથી વધારે રસી(1,00,47,157) લોકોને આપવા માટે ઉપલબ્ધ છે. રાજ્યોમાં આવનારા 3 દિવસોમાં રસીના 80 લાખથી વધારે (86,40,000) હજું વધારે રસી મળી જશે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.
કોવિશિલ્ડના બન્ને ડોઝ વચ્ચેનું અંતર 4-8 અઠવાડિયાની વચ્ચે હોઈ શકે
કોવિશિલ્ડની વેક્સિનના બન્ને ડોઝ વચ્ચેનું અંતર 4-6 અઠવાડિયાથી માંડીને 4-8 અઠવાડિયા સુધીનું હોઈ શકે છે. બીજો ડોઝ 4-6 અઠવાડિયાની વચ્ચે લેવો જોઈએ.સરકાર અને મેડિકલ એક્સપર્ટ લોકોને પહેલા ડોઝના નિયત સમય બાદ બીજો ડોઝ લેવાની સલાહ આપે છે જોકે તમે નિયતે સમયે વેક્સિન ન લઈ શકો તો તમારે બીજો ડોઝ બને તેટલો વહેલો લેવો જોઈએ. કોરોના વેક્સિન લેવામાં છેલ્લા સંક્રમણ ઇતિહાસથી કોઈ ફર્ક પડતો નથી. જો તમે કોરોનાથી ચેપગ્રસ્ત થાવ તો તમે સાજા થયા બાદ વેક્સિન લેતા પહેલા 4-8 અઠવાડિયાની રાહ જોઈ શકો છો.