રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે હુમલાના પ્રયાસ મામલે પૂર્વ ધારાસભ્ય સહિત 7 શખ્શોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
રાજકોટ પૂર્વ CM વિજય રૂપાણીના ઘરે હુમલાના પ્રયાસનો મામલો
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત ૭ શખ્સોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે આપ્યો ચુકાદો
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે હુમલાના પ્રયાસ મામલે પૂર્વ ધારાસભ્ય સહિત 7 શખ્શોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આજે ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટેની કોર્ટે ચુકાદો આપ્યો હતો. ત્યારે 2017 માં ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઈ પર હુમલો થયા બાદ કોંગ્રેસના કાર્યકરો પૂર્વ મુખ્યમંત્રીનાં ઘર નજીક વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી વખતે આ માથાકૂટ થઈ હતી.
કોને કોને નિર્દોષ જાહેર કર્યા
વર્ષ 2017 માં હુમલા પ્રયાસના કેસમાં કોર્ટે મહેશ રાજપૂત, જગદીશ રબારી, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, ભાવેશ બોરીયા, તુષાર પટેલ, મિતુલભાઈ દોંગા તેમજ હેમંત વિરડાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આજે કોર્ટે આ કેસના તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
2017 માં વિધાનસભાની ચૂંટણી લડનાર કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઈ દિવ્યની રાજ્યગુરૂ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલાએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કોંગ્રેસના ઉમેદવાર સમર્થકોની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે ગયા હતા. જેમાં પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. ત્યારે આજે કોર્ટે આ કેસના તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.