પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી ચિન્મયાનંદ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી વિદ્યાર્થિની હવે મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. કારણ કે, SITએ વિદ્યાર્થિનીને ગેરરીતે પૈસા માગવાની આરોપી ગણાવી છે. જોકે SITનો રિપોર્ટ સામે આવતા જ ધરપકડથી બચવા માટે પીડિત વિદ્યાર્થિનીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટે તેની ધરપકડ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો છે.
ચિન્મયાનંદ દુષ્કર્મ મામલો
અલ્હાબાદ કોર્ટે વિદ્યાર્થિનીની ધરપકડ પર રોક લગાવવા કર્યો ઇનકાર
આ સાથે-સાથે એવું પણ કહ્યું છે કે, જો પીડિતાને ધરપકડથી બચવું હોય તો તે અન્ય યોગ્ય બેન્ચ સમક્ષ પોતાની અરજી કરી શકે છે. આ સાથે જ હાઈકોર્ટે SITના રિપોર્ટને સંતોષકારક માનતા તે રિપોર્ટને દાખલ કરવાની તારીખ પણ નક્કી કરી છે. મહત્વનું છે કે, વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના આરોપમાં ઘેરાયેલા ચિંન્મયાનંદની શુક્રવારે ધરપકડ કરી લેવાઈ છે.
પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીની ધરપકડ કરાયા બાદ SITએ તેમને કોર્ટમાં રજુ કર્યા હતા અને ત્યાંથી 14 દિવસની જ્યુડિશીઅલ કસ્ટડીમાં મોકલી દેવાયા આવ્યા છે. ચિન્મયાનંદની કોલેજમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીએ 24 ઓગસ્ટે વીડિયો વાઈરલ કરીને તેની પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ આ પ્રકરણ અંગે SITને તપાસ સોંપી હતી.
કોણ છે ચિન્મયાનંદ?
રામમંદિરના આંદોલનથી લઇને રાજનીતિ આવનાર ચિન્મયાનંદ મૂળ રૂપે ગોંડાના નિવાસી છે. તેમનું ઘર ગોંડા જિલ્લાના પરસપુર ક્ષેત્રના ત્યોરાસી રમઇપુરમાં છે. ચિન્મયાનંદના બાળપણનું નામ કૃષ્ણપાલ હતું. ચિન્મયાનંદ પોલીટેક્નિકનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે ઝાંખી જોવા દિલ્હી ગયા તો ત્યાંથી પાછા ન આવ્યા. તેમણે ઇન્ટરમીડિએટની શિક્ષા પરસપુરના તુલસી સ્મારક ઇન્ટર કોલેજમાં હાંસલ કરી હતી.
વાજપેયી સરકારમાં રહી ચૂક્યા છે મંત્રી
ચિન્મયાનંદ પહેલીવાર ભાજપાના ટિકિટ પર ઉત્તર પ્રદેશની બદાયૂ લોકસભા બેઠકથી 1991માં સાંસદ બની ચૂક્યા છે. ત્યારબાદ 1998માં મછલીશહર અને 1999માં જોનપુરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ વાજપેયી સરકારમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી બનાવામાં આવ્યા. સ્વામી ચિન્મયાનંદ પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ પોતાના નજીકના બતાવે છે.
વીડિયો વાયરલ થયા બાદ પહોંચ્યા જેલ
સ્વામી શુકદેવાનંદ વિધિ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરનારી એલએલએમની એક વિદ્યાર્થીનીએ 24 ઓગસ્ટે એક વીડિયો વાઇરલ કરી સ્વામી ચિન્મયાનંદ પર શારીરિક શોષણ અને ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરવાનો આરોપ લગાવ્યા હતા. તથા પોતાના જીવને ખતરો હોવાનું જણાવ્યું હતું.
16 સપ્ટેમ્બરે પીડિતાની તરફથી દિલ્હી પોલીસને આપવામાં આવેલી ફરિયાદ નોંધવામાં આવી હતી. વિદ્યાર્થીનીએ સ્વામી ચિન્મયાનંદ પર લગભગ નવ મહીના સુધી યૌન શોષણ કરવા, દુષ્કર્મ કરી તેનો વીડિયો બનાવવો, ન્હાવાનો વીડિયો બનાવવો અને તેમને ગાયબ કરી સાક્ષીને દુર કરવાના ગંભિર આરોપ લગાવ્યા છે. 20 સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશની પોલીસની એસઆઇટીએ ચિન્મયાનંદને તેમના ઘરેથી ધરપકડ કરી હતી.