કરણ ઓબરોય કેસમાં દુષ્કર્મ પિડીતાની ઓળખાણ છતી કરવા મામલે પૂજા અને સુધાંશુ પાંડે સહિત 6 અન્ય લોકોને મુંબઇની એક અદાલતે સમન મોકલ્યુ છે અને બંને સાથે મંગળવારે પૂછપરછ પણ કરવામાં આવી છે.
એક્ટર-સિંગર કરણ ઓબરોય પર પીડિતા દ્વારા દુષ્કર્મ અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મે 2019માં ઓશિવારા પોલીસ પાસે એક ફરિયાદ આવી હતી જેના હેઠળ IPCની કલમ 376 અને 384 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ મામલો સામે આવ્યા બાદ પૂજા અને સુધાંશુ સહિત ઘણા લોકોએ કરણના સમર્થનમાં પોતાનો પક્ષ રાખ્યો હતો જે બાદ આ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ફરિયાદીની વકીલ મંશા ભાટિયાએ એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે ક્લાઇન્ટ કે જે રેપ પીડિતા છે તેની ઓળખાણ છતી કરવા માટે ભારતીય દંડ સંહિતા 1860ની ધારા 228 હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. જેના કારણે બંનેએ અદાલતમાં હાજર થવુ પડશે.
આ મામલે પૂજાએ કહ્યું કે આ ચિંતાજનક છે કે એક નિર્દોષ વ્યક્તિનુ નામ સાર્વજનિક રીતે બદનામ કરવામાં આવે છે પરંતુ દુષ્કર્મનો ખોટો આરોપ લગાવનાર મહિલાની ઓળખાણ છુપાવીને રાખવામાં આવે છે. વધુમાં તેણે કહ્યું કે મેં કોઇ પણ ઇન્ટરવ્યૂમાં કોઇના નામનો ખુલાસો નથી કર્યો. મેં હંમેશા સ્પષ્ટ રાખ્યુ છે કે કોઇનુ નામ સામે ન આવે. પૂજાએ આગળ કહ્યું કે મે હંમેશા મહિલાઓને તેમના અધિકારોને લઇને સપોર્ટ કર્યો છે પરંતુ તે કાયદાઓનો ખોટો ઉપયોગ કરી રહી છે.