કોર્ટે મનીષ સિસોદિયાને 7 દિવસની EDની રિમાન્ડ પર મોકલ્યું.
EDએ કોર્ટમાં સિસોદિયા અંગે કરી વાત
10 દિવસની રિમાન્ડ આપવા કરી કોર્ટને માગ
હવે કોર્ટે તેમને 7 દિવસની રિમાન્ડ પર મોકલેલ છે
દિલ્હીનાં પૂર્વ CM મનીષ સિસોદિયાની ગઈકાલે EDએ દારૂ કૌભાંડનાં મામલે ધરપકડ કરી હતી. હાલમાં EDએ રિમાંડની માગ પર રાઉઝ એવેન્યૂ કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન EDએ 10 દિવસની રિમાન્ડ માગી હતી. EDનાં વકીલે કહ્યું કે દિલ્હીની દારૂ નીતિમાં હોલસેલરને ફાયદો પહોંચાજી ગેરકાનૂની કમાણી કરવાની વ્યવસ્થા બનાવવામાં આવી. તો સિસોદિયાનાં વકીલે આ વાતનો વિરોધ કર્યો હતો. કોર્ટે CBIનાં મામલા અંગે 20 માર્ચનાં સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે એટલે કે મનીષ સિસોદિયા 10 દિવસ સુધી CBIની રિમાન્ડ પર રહેશે
કોર્ટે 7 દિવસની રિમાન્ડ પર મોકલ્યુંકોર્ટે સુનાવણી કરી પોસ્ટપોન
EDએ કોર્ટ પાસે આજે સિસોદિયાની 10 દિવસની રિમાન્ડની માગ કરી હતી. હવે કોર્ટે સિસોદિયાને 7 દિવસની EDની રિમાન્ડ પર મોકલ્યું. હવે 17 માર્ચ સુધી EDની રિમાન્ડ પર સિસોદિયા રહેશે. એટલું જ નહીં, સિસોદિયા CBIની રિમાન્ડ પર આવનારી સુનાવણી સુધી રહેશે. જમાનત માટેની સુનાવણી 21 માર્ચનાં થવાની છે. તેથી મનીષ સિસોદિયા 10 દિવસ સુધી જેલમાં રહેશે.
સંજય સિંહે આપ્યું નિવેદન
સંજય સિંહે કહ્યું કે CBIને સિસોદિયાની વિરુદ્ધમાં કોઈ પુરાવાઓ મળ્યાં નથી. જો કંઈ મળ્યું છે તો ભાજપે દેશને જણાવવું જોઈએ કે તેમને સિસોદિયાનાં ઘરેથી શું-શું મળ્યું.
હોલસેલરને ફાયદો-ED
ઈડીએ કોર્ટને જણાવ્યું કે હોલસેલ બિઝનેસ કેટલાક નજીકી લોકોને આપવામાં આવ્યો છે. હોલસેલરને 12%નો પ્રોફિટ માર્જિન આપવામાં આવ્યો જે એક્સપર્ટ કમિટીનાં સૂચનથી અલગ હતું. જજએ સવાલ કર્યો કે પ્રોફિટ માર્જિન કેટલું હોવું જોઈએ ત્યારે EDનાં વકીલે જણાવ્યું કે તે 6% હોવું જોઈએ. અમારી પાસે એ વાતની સામગ્રી ઉપલબ્ધ છે આરોપી સિસોદિયાનાં કહેવા પર આવું કરવામાં આવ્યું છે. તેથી સિસોદિયાની રિમાન્ડ આવશ્યક છે.