જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન હાજર ન લેવા બાબતે કંગનાને કોર્ટે ફટકાર લગાવી છે.
કંગનાને કોર્ટની ફટકાર
મામલામાં કંગના છે આરોપી
શું છે આખો મામલો
કંગનાને કોર્ટની ફટકાર
ગીતકાર જાવેદ અખ્તર દ્વારા કંગના રનૌત પર દાખલ કારવામાં આવેલ માનહાનિ કેસમાં અભનેત્રીની તકલીફો અટકવાનું નામ જ લેતી નથી. હાલમાં જ કંગનાએ અંધેરી મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં એક અરજી કરી એ માંગ કરી હતી કે સુનાવણી દરમિયાન તેમને હાજર રહેવાથી પર્મનંટ છૂટ આપવામાં આવે. જોકે કોર્ટે કંગનાની આ અરજીને સ્વીકાર કરી નથી અને સાથે જ અભિનેત્રીને ફટકાર પણ લગાવી છે. કોર્ટનું કહેવું છે કે અભિનેત્રી પ્રોફેશનલ અસાઈમેન્ટસને કારણે વ્યસ્ત હોય શકે છે, પરંતુ તે ભૂલી ન શકે કે તે એક કેસમાં આરોપી પણ છે.
મામલામાં કંગના છે આરોપી
કંગના રનૌત માત્ર બે વાર જ કોર્ટમાં હાજર રહી છે. એક વાર ત્યારે જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને બીજી વાર ત્યારે જ્યારે કંગનાએ મેજીસ્ટ્રેટ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, મેજીસ્ટ્રેટ આરઆર ખાને જણાવ્યું કે કંગના આ મામલાની સુનાવણીમાં હાજર ન રહી અને પોતાની રીતે આ ટ્રાયલને પ્રભાવિત પણ કરી રહી છે.
કંગનાની સુનાવણીથી પર્મનંટ છૂટવાળી અરજીને નામંજૂર કરતા મેજીસ્ટ્રેટ કહે છે કે કંગનાએ કાનૂનની પ્રક્રિયા અને પોતાના જામીન બોન્ડનાં નિયમોનું પાલન કરવું પડશે. તેમણે આગળ કહ્યું કે તે એક સેલેબ્રિટી છે અને તેમના પ્રોફેશનલ અસઈમેન્ટસ હોય શકે છે, પરંતુ તે એ ન ભૂલી શકે કે તે આ મામલામાં આરોપી છે.
શું છે આખો મામલો?
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ કંગનાએ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં કંગનાએ જાવેદ અખ્તરને લઈને ઘણું કહ્યું હતું. અભિનેત્રીએ કહ્યું હતું કે જાવેદ અખ્તર બોલિવુડ સુસાઈડ ગેંગ સાથે સંબંધ રાખે છે, જે બહારના કલાકારોને એ પ્રકારે ઉકસાવે છે કે તે કલાકાર પોતાનું જીવન ખતમ કરી નાંખે છે. ત્યાર બાદ જાવેદ અખ્તરે ઈમેજ ખરાબ કરવાને લઈને કંગના રનૌત વિરુદ્ધ મેજીસ્ટ્રેટ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.