PMLA કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં સુનાવણી કરતાં કહ્યું કે PNB કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને ભાગેડુ જાહેર કરવામાં આવે છે. તેથી, નવા એક્ટ (FEOA) હેઠળ તેની બધી સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપવામાં છે.
પંજાબ નેશનલ બેંક (PNB)માં 13 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેની બધી સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. તેની ઉપર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો હતો. આજે PMLA કોર્ટે આદેશ આપ્યો છે કે નીરવ મોદીની તમામ સંપત્તિ જપ્ત કરવામાં આવે. આ હુકમ પછી, હવે નીરવની તમામ સંપત્તિઓ પર ભારત સરકારનો અધિકાર છે.
અગાઉ ED પણ નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરી ચૂકી છે
કોર્ટે આદેશ આપ્યો છે કે નીરવ મોદીને ભાગેડુ જાહેર કરવામાં આવે. તેથી, ન્યૂ ફ્યુજિટિવ એક્ટ (FEOA) તેની બધી સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપે છે. આ પછી કોર્ટે તેની બધી સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી પણ કરી ચૂકી છે. તે જ સમયે, માર્ચ 2020 માં યોજાયેલી તેની મિલકતોની હરાજીથી 51 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી હતી.
નીરવ મોદીની જાહોજલાલીભરી મિલકતોની થઇ ચુકી છે હરાજી
ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી દ્વારા હરાજી કરવામાં આવેલી મિલકતોમાં રોલ્સ રોયસ કાર, એમ.એફ.હુસેન અને અમૃતા શેર-ગિલનાં પેઇન્ટિંગ અને ડિઝાઇનર હેન્ડબેગનો સમાવેશ થાય છે. આ અગાઉ સેફ્રોન આર્ટે માર્ચ 2019માં નીરવ મોદીની માલિકીની કેટલીક કલાકૃતિઓની હરાજી કરી હતી, જેમાં રૂપિયા 55 કરોડ ભેગા થયા હતા. નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂપિયા 14,000 કરોડથી વધુની છેતરપિંડી (Fraud) નો આરોપ છે. નીરવ મોદી દેશમાંથી ફરાર છે અને હાલમાં તે લંડનની જેલમાં બંધ છે.