બિહારમાં તેજસ્વી યાદવ અને મિસા ભારતી સહિત કૂલ છ વિરુદ્ધ ગંભીર આક્ષેપ લાગ્યા હતા. જે હેઠલ હવે કોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.
આરજેડી નેતા તેજસ્વી યાદવ, તેમની બહેન મીસા ભારતી અને છ લોકોએ પાંચ કરોડ રૂપિયા લીધા પછી પણ ટિકિટ ન આપવાના આરોપ હેઠળ તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ કોર્ટે જારી કર્યો છે.
માહિતી અનુસાર, કોર્ટે તેજસ્વી અને મીસા, બિહાર કોંગ્રેસ પ્રમુખ મદન મોહન ઝા, પ્રદેશ પ્રવક્તા રાજેશ રાઠોડ અને શુભાનંદ મુકેશ અને અન્ય એક સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. જોકે, શનિવારે મોડી રાત સુધી પોલીસ કોર્ટના આદેશની પ્રાપ્તિ ન થવાને કારણે FIR નોંધી શકી નથી.
લોકસભા ચૂંટણીની ટિકિટની ડીલ કરવામાં આવી હતી
પાંચ કરોડ લઈને ટિકિટ ન આપવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા અને એડવોકેટ સંજીવકુમાર સિંહે કર્યો છે. તેણે 18 ઓગસ્ટના રોજ પટનાની સીજેએમ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ભાગલપુરથી લોકસભાની ટિકિટ આપવા માટે તમામ આરોપીઓએ તેમની પાસેથી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. 15 જાન્યુઆરી, 2019 ના રોજ, તેણે આ પૈસા આપ્યા, તે પછી પણ તેને ટિકિટ આપવામાં આવી ન હતી. આ પછી તેમને ખાતરી આપવામાં આવી હતી કે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે, પરંતુ તે પણ મળી ન હતી.
તેજસ્વીએ આપી મારી નાખવાની ધમકી
સંજીવ કુમાર સિંહે આરોપ લગાવ્યો હતો કે જો તેણે ટિકિટ ન મળવા બદલ તેજસ્વી યાદવનો સંપર્ક કર્યો તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આરોપો સાંભળ્યા બાદ CJM વિજય કિશોર સિંહે તમામ સામે FIR નો આદેશ આપ્યો હતો. પટના એસએસપીએ કહ્યું કે અત્યાર સુધી પોલીસને આવો આદેશ મળ્યો નથી. ઓર્ડર મળતાં જ તેનું પાલન કરવામાં આવશે.